ઓઇલ ડેપો પર તેલ ભરી જતી ચાલતી માલગાડી સાથે દોટ મૂકી ચોરો એ કરી તેલ ની ચોરી!

ઓઇલ ડેપો પર તેલ ભરી જતી ચાલતી માલગાડી સાથે દોટ મૂકી ચોરો એ કરી તેલ ની ચોરી!

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અવનવા વિડીયો સામે આવતા હોય છે. થોડા સમયથી ચોરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. જેમાં એક ટ્રેન પુલ ઉપરથી જ્યારે પસાર થઈ રહી હતી. ત્યારે કેટલાક લોકો પુલ ઉપર બેસીને લોકોના મોબાઇલ છીનવી લેતા હતા. હાલમાં એક બીજો ટ્રેન નો વિડીયો સામે આવ્યો છે. જેમાં કેટલાક ચોરો ચાલતી માલગાડી માંથી પેટ્રોલિયમ તેલની ચોરી કરી રહ્યા છે.

તેવો સામે આવ્યો છે આ વિડીયો જોતા ખ્યાલ આવ્યો કે આ ઘટના બિહારમાં બની હતી. જ્યાં એક માલગાડી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ના તેલ ડેપોમાં પેટ્રોલિયમ તેલ ભરીને જઈ રહી હતી. જેમાં જ્યારે આ માલગાડી કોઈ ગાઢ વિસ્તારમાંથી પસાર થઈ રહી હશે ત્યારે કેટલાક લોકોએ ટ્રેન ઉપર હુમલો કરી દીધો હતો અને ચાલતી ટ્રેનમાં તે લોકોએ પોતાની ડોલો ટીંગાડી દીધી હતી.

અને તેમાંથી પેટ્રોલિયમ તેલની ચોરી કરી રહ્યા હતા. જેમાં કેટલાક લોકો ટ્રેનની સાથે દોડતા દોડતા પણ જોવા મળે છે અને ટ્રેનમાંથી આવી રીતે ચોરી કરતો વિડિયો વાયરલ થતા લોકો પણ અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આ વિડીયો બિહાર રાજ્યના પટના જિલ્લાના દેહતા નગરનો જાણવા મળ્યું છે. તો કેટલાક લોકો એ આ વીડિયોને શેર કરીને આ અંગે માહિતી આપી હતી.

બિહારમાંથી થોડા સમય પહેલા એક 45 વર્ષ જૂના લોખંડના પૂલને પણ ચોરી કરવાનો વિડીયો સામે આવ્યો હતો. આમ ભારતમાં આવા કેટલાક ગાઢ એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રેનમાંથી આવી રીતે ચોરીઓ કરવામાં આવતી હોય છે. જાણવા મળ્યું કે આ વિસ્તારોમાં ચોરી થતા ત્યાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી હોતી નથી. લોકો બેફામ રીતે ચોરી અને લુંટફાટ કરતા જોવા મળે છે. લોકો આ વિડીયો જોઈને ચોરો પ્રત્યેક ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow