દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

ગત 25મી જાન્યુઆરીની રાત અમે જીવનભર ભૂલી નહીં શકીએ. રાત્રે 10ઃ30 વાગે ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ પૂછ્યું કે, તમે રમેશજી બોલો છો, મેં હા પાડી. તેમણે પોતાને દિલ્હીના અધિકારી ગણાવતા કહ્યું કે ‘તમારું અને તમારી પત્ની શાંતિનું નામ પદ્મશ્રી માટે પસંદ કરાયું છે, પરંતુ આ કોઈને કહેતા નહીં.’ પહેલા મને લાગ્યું કે કોઈ મજાક કરે છે. થોડા સમય પછી સ્થાનિક અધિકારીના ફોન પણ આવ્યા, પછી ખબર પડી કે, આ તો હકીકત છે.

આ શબ્દો છે ઝાબુઆના રાતી તલાઈના રહેવાસી પરમાર દંપતિ રમેશ અને તેમના પત્ની શાંતિના. રમેશ પરમાર કહે છે, ‘એ દિવસે અમે મોડી રાત સુધી ઊંઘી ના શક્યા. બીજા દિવસે 26 જાન્યુઆરીએ અમારું પણ સન્માન કરાયું.’

પરમાર દંપતિની આ સફર સરળ નહોતી. શાંતિ કહે છે, ‘પતિએ હોમગાર્ડની નોકરી ગુમાવી દીધી. ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. 1993માં ઝાબુઆમાં જ આદિવાસી ઢીંગલી બનાવવાની તાલીમ લીધી. છ મહિનામાં કામ શીખી લીધું, પણ ઢીંગલી બનાવવાની સામગ્રી ખરીદવાના પૈસા નહોતા. તેમના કપડાં સહિત અન્ય વસ્તુ મોંઘી હતી. પછી અમે દરજીઓ પાસેથી દોઢ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાપડના કતરણો ખરીદતા અને તેમાંથી ઢીંગલી બનાવીને શહેરના બજારમાં વેચીને ગુજરાન ચલાવતા.’

આ દરમિયાન રમેશ પરમાર પણ તે કામમાં જોડાઇ ગયા અને નિષ્ણાત બની ગયા. પછી તો આ દંપતિએ શહેરોમાં પ્રદર્શનોમાં જવાનું શરૂ કર્યું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow