પાકિસ્તાનમાં એક પણ જૈન નથી છતાં સેંકડોએ સ્વાગત કર્યું!

પાકિસ્તાનમાં એક પણ જૈન નથી છતાં સેંકડોએ સ્વાગત કર્યું!

આઝાદી બાદ પહેલીવાર કોઈ જૈન મુનિ પાકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા છે. હાલ પાકિસ્તાનમાં કોઈ જૈન નથી, તેમ છતાં સેંકડો લોકો જૈન મુનિનું સ્વાગત કરી રહ્યા છે. આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજ 18 સભ્યોના ગ્રૂપ સાથે પાકિસ્તાન પહોંચ્યા છે. મુનિએ કહ્યું કે અહિંસાથી જ ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરી શકે છે. અહિંસા દુનિયાના તે તમામ દેશોને નજીક લાવી શકે છે જેઓના સંબંધોમાં ખટાશ છે, પરંતુ રાજનીતિ કરનારા આ ઇચ્છતા નથી. જૈન મુનિએ પાકિસ્તાનનાં બે શહેર લાહોર અને ગુજરાનવાલાની યાત્રા કરી છે. તેઓ પહેલા લાહોર અને પછી ગુજરાનવાલા પહોંચ્યા હતા. તેમની યાત્રાના પગલે લાહોરના જૈન મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. પંજાબ પોલીસના કમાન્ડો દ્વારા આકરી તપાસ કર્યા પછી જ લોકોને જૈન મુનિની મુલાકાત માટે મંજૂરી અપાય છે.

આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે કહ્યું કે હું જે હેતુથી લાહોર આવ્યો હતો તે સફળ રહ્યો છે. મેં લાહોર મ્યુઝિયમની મુલાકાત લીધી. જ્યાં હું મારા ગુરુ આત્મારામ મહારાજનાં ચરણસ્પર્શ કરવા માંગતો હતો. મારું એ સપનું સાકાર થયું છે. આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજને મળવા પેશાવરની ઈસ્લામિયા યુનિવર્સિટી કાયદે આઝમ યુનિવર્સિટી ઈસ્લામાબાદ ઉપરાંત મુલ્તાન બહાવલપુર, કરાચી અને લાહોરથી પણ ઘણા લોકો આવ્યા છે. જૈન મુનિએ કહ્યું કે હું ત્રણ દિવસ ગુજરાનવાલામાં રહીશ. હું અહીં એટલા માટે રહેવા માંગુ છું કારણ કે મારા ગુરુએ તેમનો અંતિમ સમય અહીં વિતાવ્યો હતો. આ વર્ષ આત્મારામ મહારાજની 175મી પુણ્યતિથિનું વર્ષ છે. આવી સ્થિતિમાં અહીં પૂજા કરવી મારા માટે સન્માનની વાત છે.

ધર્મધુરંધર સૂરી મહારાજે લાહોરમાં જૈન મંદિરના પુનર્નિમાણ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ કામ વધારે સારી રીતે થઈ શકતું હતું. નવું મંદિર ઓછામાં ઓછું જૈન મંદિર જેવું તો દેખાવું જોઈએ. પત્રકાર ઝાહિર મેહમૂદ કહે છે કે મુનિનો અસંતોષ વ્યાજબી છે. જૂના મંદિરનું શિખર ખૂબ જ સુંદર હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow