વસોના ઝારોલ પાટિયા પર હાઇવે પર બ્રિજ કે સર્વિસ રોડની સુવિધા ન હોઇ ગ્રામજનોને ભારે હાલાકી

વસોના ઝારોલ પાટિયા પર હાઇવે પર બ્રિજ કે સર્વિસ રોડની સુવિધા ન હોઇ ગ્રામજનોને ભારે હાલાકી

નેશનલ હાઇવે નંબર-48ને છ માર્ગીય સુપર હાઇવે બનાવવામાં આવ્યો છે. આ હાઇવે પરના ગામના પાટિયા પર બ્રિજ તેમજ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. ત્યારે વસો તાલુકાના ઝારોલ પાટિયા નજીક હાઈવે પર બ્રિજ કે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. જેથી ગ્રામજનોને જાનનું જોખમ ખેડી રોંગ સાઈડ એ અવર-જવર કરવી પડતી હોઇ ભારે હાલાકી વેઠવી પડે છે. અમદાવાદથી વડોદરા તરફના નેશનલ હાઇવે નંબર-48 પર ઓવરબ્રિજ તેમજ અન્ડરબ્રીજની બાજુમાં નજીકના ગામ શહેર જવા માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.

છઠ્ઠા માઈલથી રોંગ સાઈડ પર થઈ જાનના જોખમે અવર-જવર કરવા મજબૂર
નાના મોટા વાહનો નોન સ્ટોપ પસાર થવામાં સરલતા રહે છે. નડીયાદ થી ખેડા તરફના હાઇવે પર ડભાણ, દાવડા, છઠ્ઠામાઈલ રધવાનજ ચોકડી પર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રિજની બંને બાજુ નજીકના ગામ કે શહેર જવા સર્વિસ રોડની સુવિધા આપવામાં આવી છે. પરંતુ નેશનલ હાઇવેના સત્તાધીશો દ્વારા વસો તાલુકાના ઝારોલ ગામના પાટિયા પર ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બનાવવામાં આવ્યો નથી. આમ ઝારોલના ગ્રામજનોને અવર જવર માટે સર્વિસ રોડ આપવામાં આવ્યો ન હોય વાહનચાલકોને દાવડા કે છઠ્ઠા માઈલથી રોંગ સાઈડ પર થઈ જાનના જોખમે અવર-જવર કરવી પડે છે.

ઝારોલના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા
આ ઉપરાંત શાળા કોલેજ કે ધંધા રોજગાર અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મુસાફરોને એસટી બસ સુવિધા મેળવવા માટે બે કિ.મી ચાલીને દાવડા કે છઠ્ઠા માઈલના સ્ટેન્ડ પર જવું પડે છે. ઘણી વખત રોંગ સાઇડ પરથી પસાર થતાં ગ્રામજનો અકસ્માતનો ભોગ પણ બનતા હોઇ છે.આ ઉપરાંત આગ અકસ્માત જેવા પ્રસંગે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહન માટે ઝારોલ ગામમાં જવાની સમસ્યા સર્જાય છે. આમ હાઇવે ઓથોરીટીના સત્તાધીશોના અણધડ આયોજનના કારણે ઝારોલના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સત્તાધિશો દ્વારા ઝારોલના ગ્રામજનોને સર્વિસ રોડ,બ્રિજના અભાવે પડતી મુશ્કેલીનું નિવારણ કરવા માંગણી ઉઠવા પામી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow