યુવકને અર્ધનગ્ન કરી બાવળિયા સાથે બાંધીને ફટકાર્યો અને પેશાબ પણ કર્યો

યુવકને અર્ધનગ્ન કરી બાવળિયા સાથે બાંધીને ફટકાર્યો અને પેશાબ પણ કર્યો

મોરવા(હ)ના વાડોદર ગામના યુવક, એક યુવતીને ભગાડી જતાં યુવકના મોટાભાઇને ગામના 15 જેટલા લોકોએ ઝાડ સાથે બાંધીને મારમારી તાલિબાની સજા આપતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. ભોગ બનનાર યુવકે 16 જણના નામ સહિત ટોળા સામે મોરવા(હ) પોલીસ મથકે અરજી આપતા ગુના ની તજવીજ હાથ ધરી હતી.

રમેશભાઇએ અરજીમાં જણાવ્યું કે, સરતનભાઇ, રાહુલ, બુધરભાઇ, ફતસિંહ, મહેન્દ્રભાઇ સહિત મહિલાઓનું ટોળું 4 દિવસ અગાઉ રમેશભાઇનો અન્ય ભાઇ રૂબીનભાઇને વંદેલી ગામે આંતરીને માર મારીને તારો ભાઇ અમારી દિકરીને લઇને ભાગી ગયો છે. તેને શોધીને પાછી આપો તો જ તારી બાઇક મળશે તેમ કહીને બાઇકની લૂટ કરી હતી. ત્યારબાદ ટોળું 17 મીના રોજ રમેશભાઇના ઘરે આવીને તોડફોડ કરી તુલસીનો કયારો પણ તોડી નાખ્યો હતો.

ટોળાંએ ગાયને પણ મારમારી હતી. ટોળાંએ રમેશભાઇ રાઠોડને ઉચકીને બાઇક પર બેસાડીને ગામના ભાથીજી મંદિરના બાવળીયાના ઝાડ સાથે દોરડાથી બાંધી દીધો હતો. રમેશભાઇને મહિલા અને પુરુષના ટોળાંએ મારમારતા અર્ધબેભાન થઇ ગયા હતા.

બાદમાં ટોળાં રમેશભાઇને બાઇક પર બેસાડીને પોલીસ મથકે લઇ ગયા હતા. જયાં રમેશ ભાઇને પોલીસે જામીન આપીને છોડી મુકતાં 108 મારફતે દવાખાનામાં સારવાર કરાવી હતી. અરજીમાં રમેશભાઇએ જણાવ્યું કે, માથાભારે ટોળાએ નુકસાન કરીને મારી નાખવાની ધમકી આપી હોવાથી તમામ સામે કાર્યવાહી ની અરજ કરતાં . પોલીસે અરજીના આધારે ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow