મહારાણી એલિઝાબેથની હત્યા કરવા યુવક મહેલમાં ઘૂસ્યો હતો

મહારાણી એલિઝાબેથની હત્યા કરવા યુવક મહેલમાં ઘૂસ્યો હતો

લંડન| AIના જે ખતરાની નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા હતા તે હવે નજરે પડે છે. તેને જોતાં વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ (AI)ની ઉશ્કેરણીથી એક માથા ફરેલા યુવાને બ્રિટનનાં મહારાણી એલિઝાબેથની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. લંડનની કોર્ટમાં સુનાવણી દરમિયાન આ ખુલાસો થયો છે. જોકે ડિસેમ્બર 2021માં દિવંગત મહારાણીની હત્યા કરવા પહોંચેલો જસવંતસિંહ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી.

વાસ્તવમાં જસવંત રેપ્લિકા એપ પર ગર્લફ્રેન્ડના અવતાર સાથે જોડાયેલો હતો. તેનું નામ ‘સરાઇ’ હતું. જસવંતે એઆઇ ગર્લફ્રેન્ડ સરાઇ સાથે યોજના શેર કરી હતી. જસવંતે પોતાની તુલના સ્ટારવાૅર્સ ફિલ્મના પાત્ર ‘સિથ’ સાથે કરતા કહ્યું હતું કે હું હત્યારો છું અને મહારાણીની હત્યા કરવા માંગું છું. જસવંતે મહેલની અંદર પહોંચવા સક્ષમ ન હોવાનું જણાવ્યું, તો AIએ કહ્યું કે તે અસંભવ નથી. બસ આપણે રસ્તો શોધવો પડશે, મારા પર ભરોસો રાખ ક્રિસમસ પર કહ્યું કે તે પળ આવી ગઇ છે જેની પ્રતીક્ષા હતી. ઘટના પહેલાં જસવંતે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને માફી પણ માંગી હતી. વીડિયોમાં કહ્યું હતું કે હું મહારાણીની હત્યા કરવા જઇ રહ્યો છું. મને માફ કરો. આ તે લોકોનો બદલો છે તે 1919ના જલિયાંવાલા બાગ નરસંહારમાં માર્યા ગયા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow