વેસુના વેપારીના થેલામાંથી 25 લાખના હીરા કાઢીને કાચના ટુકડા મૂકી બે ફરાર

વેસુના વેપારીના થેલામાંથી 25 લાખના હીરા કાઢીને કાચના ટુકડા મૂકી બે ફરાર

વેસુના વેપારીની ઓફિસમાં 25 લાખના હીરાના પેકેટ એક થેલામાં ચાલાકીથી બદલાવીને 2 ગઠિયાઓ કાચના ટુકડા પધરાવી પલાયન થતા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સીસી કેમેરામાં કેદ થયેલી બાઈક અને મોબાઈલ નંબરના આધારે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સેમ્પલ જોઈ બીજા દિવસે ઓફિસે આવેલા ગઠિયાએ 116 કેરેટ હીરા તફડાવ્યા
વેસુના નંદની-1માં રહેતા રૂપક કમલેશ ગર્ગ(43) સોસિયો સર્કલ પાસે યુનિક હોસ્પિટલની સામે ઝિનોન કોમ્પ્લેક્સમાં જ્વેલર્સ જેમ્સ પ્રા.લી. નામથી હીરાનો વેપાર કરે છે. ગઈ તા.12 ડિસેમ્બરના રોજ તેમની ઓફિસના નંબર પર ફોન આવ્યો હતો અને પોતે મુંબઈથી લક્ષ્મી જ્વેલર્સમાંથી ભરત પટેલ બોલતા હોવાનું જણાવી કટ એન્ડ પોલિશ્ડ કવોલિટીની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. બાદ તા.19મીએ રૂપકભાઈની ઓફિસે સેમ્પલ જોઈ ભાવતાલ કરી જતા રહ્યા બાદ સાંજે ફરીથી ફોન કરીને બે અલગ અલગ ક્વોલિટીના 100-100 કેરેટ માલની જરૂર હોવાનું જણાવ્યું હતું.

2 ગઠિયાઓ કાચના ટુકડા પધરાવી પલાયન
બાદ 21મીએ સાંજે પરત આવ્યા હતા. રૂપકભાઈએ તેમને 3 પેકેટમાં રૂ.24,68,815ની કિંમતના અલગ અલગ ક્વોલિટીના 115.810 કેરેટ હીરા આપ્યા હતા. આ હીરા જોઈને ભરત પટેલે ત્રણે પેકેટ પ્લાસ્ટીકની થેલીમાં મુકી ટેપ મારીને સિલ કરી પાકીટમાં મુકી દીધા હતા. જોકે, બીજા દિવસે પેમેન્ટની વાત કરતા રૂપકભાઈએ તરત જ હીરાનો માલ પરત માંગ્યો હતો. જેથી તેમણે પાકીટમાંથી પેકેટ પાછા આપ્યા હતા અને બીજા દિવસે પેમેન્ટની વાત કરી માલ કુરિયરમાં મોકલી આપવાનું કહી ચાલ્યા ગયા હતા. 24મીએ રૂપકભાઈએ હીરાનું પેકેટ ખોલી ચેક કરતા ત્રણે પેકેટમાં નકલી હીરા અને કાચના ટુકડાઓ નીકળતા રૂપકભાઈ ચોંકી ઉઠ્યા હતા. ઠગાઇ થઈ હોવાનું જણા ખટોદરા પોલીસ મથકે દોડી ગયા હતા. વેપારીની ફરિયાદ લઈ પોલીસે ગુનો નોંધ્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow