સેકન્ડ હેન્ડ બજારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે , 90% યુવાનો તેને પર્યાવરણને અનુકૂળ ગણીને પસંદ કરે છે

સેકન્ડ હેન્ડ બજારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે , 90% યુવાનો તેને પર્યાવરણને અનુકૂળ ગણીને પસંદ કરે છે

યુકેમાં સેકન્ડ હેન્ડ કપડાનું બજાર તેજીથી આગળ વધી રહયું છે. 26 વર્ષથી ઓછી ઉંમરના 90% યુવાનો તેને પસંદ કરી રહ્યા છે. આ જ કારણથી છેલ્લા છ વર્ષમાં સેકન્ડ હેન્ડ કપડાની ખરીદી અને વેચાણમાં વધારો થઈ 146% સુધીનો ઉછાળો આવ્યો છે. જેમાં 2026 સુધીમાં વધુ 68% વધવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે સૌથી વધુ સર્ચ કરાયેલી બ્રાન્ડના કપડા સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી વધુ ખરીદવામાં આવી રહ્યા છે. યુવાનો આને બ્રાન્ડેડ કપડા સસ્તા ભાવે અને વધુ સારો દેખાવ માટે ખરીદી રહ્યા છે. યુવાનો તેને પર્યાવરણને અનુકૂળ પણ ગણાવી રહ્યા છે.

ખરેખર, જયારથી લંડનના બ્રેન્ટ ક્રોસ શોપિંગ સેન્ટરમાં ચેરિટી તરીકે એક દુકાન ખોલવામાં આવી હતી ત્યારથી પ્રીલવ્ડ (જૂના) કપડાં ઓનલાઈન વેચવાના શરૂ થયા હતા. કપડાંઓની અદલાબદલીના આ ટ્રેન્ડને લોકોએ ખૂબ જ રસપ્રદ ગણાવ્યો છે. આથી સેકન્ડ હેન્ડ માર્કેટ ચલાવતા લોકો દ્વારા લવ આઇલેન્ડમાં એક રિયાલિટી શો પણ સ્પોન્સર કરવામાં આવ્યો હતો. જે એક સમયે માત્ર ફાસ્ટ ફેશનની બ્રાન્ડ્સને જ સ્પોન્સર કરતા હતા. એપ પર જુના કપડા વેચવાના ટ્રેન્ડમાં મોટાભાગે બાળકોના કપડા ખરીદાઈ કે વેચાઈ રહ્યા છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં બાળકોના કપડાંના વેચાણમાં 2020 માં 76% નો વધારો નોંધવામાં આવ્યો હતો. ઈ-કોમર્સ કંપની પ્લેટફોર્મના 2021ના રિપોર્ટ અનુસાર આવનારા સમયમાં સેકન્ડ હેન્ડ બજાર વધુ ઝડપથી વૃદ્ધિ પામી શકે છે.

એપ પર 90% કપડાઓ મિનિટોમાં વેચાઈ જાય છે
તેને અપર ફેશન માર્કેટ તરીકે જોવાઈ રહ્યું છે. સેલ્ફ્રિઝથી લઈને નેટ-એ-પોર્ટર સુધીના રિટેલર્સ આ ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યા છે. 2022 માં ઘણા સ્થાનિક બ્રાન્ડ સાથે કનેક્ટ થયા પછી અહીં સેકન્ડ હેન્ડ બ્રાન્ડેડના 90% કપડાં મિનિટોમાં વેચાઈ જાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow