શિક્ષકના સમર્પણે ભારતીય મૂળના અમેરિકન તબીબ ડૉ.ધવલ દેસાઈનો દૃષ્ટિકોણ બદલ્યો

શિક્ષકના સમર્પણે ભારતીય મૂળના અમેરિકન તબીબ ડૉ.ધવલ દેસાઈનો દૃષ્ટિકોણ બદલ્યો

હૅલ્થકૅર અને એજ્યુકેશનમાં ઘણી સમાનતા છે. ફ્રન્ટલાઇન વર્કર્સ હોવાને કારણે શિક્ષક જે રીતે રોજ વિદ્યાર્થીઓને ભણાવવા માટે પ્રતિબદ્ધ હોય છે, એ જ રીતે તબીબોની પ્રાથમિકતા દર્દીઓને સાજા કરવાની છે.’ આ વાત ભારતીય મૂળના અમેરિકન તબીબ ડૉ. ધવલ દેસાઈએ કહી છે. તેમણે ‘બર્નિંગ આઉટ ઓન ધ કોવિડ ફ્રન્ટ લાઇન્સ : અ ડૉક્ટર મેમાયર ઑફ ફાધરહૂડ, રેસ, એન્ડ પર્સિવરેન્સ ઇન પેન્ડેમિક’માં કહ્યું હતું.

ગયા એપ્રિલ મહિનામાં મને દીકરીની શાળામાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટેની પસંદગીમાં મદદ કરવાની તક મળી. મને કિંડરગાર્ડન (કેજી)નાં એક શિક્ષિકાના ઇન્ટરવ્યુએ ચકિત કરી દીધો. એક પ્રશ્નના તેમણે આપેલા ઉત્તરે મારી આંખ ઉઘાડી. તેમને ‘પ્રભાવશાળી શિક્ષકની 2 વિશેષતા કઈ?’ પ્રશ્ન પુછાયો. તેમણે ઉત્તર આપ્યો, ‘પોતાના વિદ્યાર્થીઓને પ્રેમ કરવો અને એમને રોજ એ પ્રેમની અનુભૂતિ કરાવવી. આ સિવાય ભણાવવાનો જુસ્સો પણ હોવો જોઈએ.’ આ જવાબ સાંભળતાંની સાથે જ મેં શિક્ષકની જગ્યાએ મેં તબીબને કેન્દ્રમાં રાખીને વિચારવાનું શરૂ કર્યું. એટલે કે પ્રભાવશાળી ડૉક્ટરની બે વિશિષ્ટતા કઈ હોઈ શકે? મારા મને કહ્યું, ડૉક્ટરોએ પોતાના દર્દીઓને પ્રેમ કરવો પડશે, રોજ તેમને એની અનુભૂતિ કરાવવી વડેશે.

બીજું, તેનામાં દર્દીઓને સાજા કરવાનો જુસ્સો હોવો જોઈએ.’ સામાન્ય ધારણા એવી છે કે ડૉક્ટરોએ દર્દીઓ સાથે ભાવનાત્મક જોડાણથી દૂર રહેવાની જરૂર છે નહીં તો હિત ટક્કરાઈ શકે છે. પરંતુ મને એવું નથી લાગતું. હૅલ્થકૅર સિસ્ટમ મુદ્દે દર્દીઓ ઘણી વાર હેરાન થતા હોય છે અને ક્યારેક નિષ્ણાતો માટે પણ પડકારરૂપ થઈ શકે છે. જો તેમને આવી કોઈ વાતે શંકા થાય અને અમે તેમની પાસે ન હોઈએ તો એ શંકા દૂર કેવી રીતે કરી શકીએ! આવી જ રીતે શિક્ષક અંતર રાખે તો બાળકો આગળ કેવી રીતે વધી શકે!

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow