તંત્રએ પૂર્વ જાણકારી વિના જ સમય ઘટાડ્યો

તંત્રએ પૂર્વ જાણકારી વિના જ સમય ઘટાડ્યો

રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં રસરંગ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન આ લોકમેળાની મોજ માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે છેલ્લા દિવસે પણ અંદાજે 2 લાખ કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા અને 6 દિવસમાં કુલ 11 લાખ કરતાં વધુ લોકોએ લોકમેળો તેમજ તેની અવનવી રાઈડસની મોજ માણી હતી. આજે પણ સવારથી મોટી સંખ્યામાં લોકોમેળો માણવા પહોંચ્યા હતા અને બપોર બાદ તો લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. જોકે, તંત્રએ કોઈપણ પૂર્વ જાણકારી વિના સમય 12 વાગ્યાથી ઘટાડી 10 વાગ્યાનો કરી નાખ્યો હતો એટલું જ નહીં 9 વાગ્યા બાદ એન્ટ્રી બંધ કરાતા છેલ્લા દિવસે રાજકોટીયનોએ નિરાશ થવાનો વારો આવ્યો હતો.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સમાં રસરંગ લોકમેળાનું તારીખ 5થી 9 સપ્ટેમ્બર માટે આયોજન થયું હતું. જોકે, બે દિવસ પહેલા લોકલાગણીને માન આપી કલેક્ટરે 10 સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે 12 વાગ્યા સુધી મેળો ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું. જોકે, સાંજે કોઈપણ પૂર્વ જાહેરાત વિના અચાનક મેળાનો સમય 12 વાગ્યાથી ઘટાડીને 10 વાગ્યાનો કરવામાં આવ્યો હતો અને 10 વાગ્યે મેળાનું ગ્રાઉન્ડ ખાલી કરવા માટે 8:30 વાગ્યાથી સ્પીકર બંધ કરવામાં આવ્યા હતા અને 9 વાગતા જ એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. જેને લઈ દૂર-દૂરથી મેળો માણવા આ વેળા અનેક લોકોને નિરાશા સાંપડી હતી. અને રેસકોર્સ રોડ ઉપર પણ લોકોના મોટા ટોળા જોવા મળ્યા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow