સુપ્રીમ લીડરની ભાણીની પણ ધરપકડ થઇ

સુપ્રીમ લીડરની ભાણીની પણ ધરપકડ થઇ

ઇરાનની સરકાર હિજાબના વિરોધમાં થતાં પ્રદર્શનમાં ભાગ લેનારા કોઇ પણ વ્યક્તિને છોડતી નથી. ત્યાં સુધી કે ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇની ભાણીની પણ ધરપકડ કરી લીધી છે. હકીકતમાં સુપ્રીમ લીડરની ભાણી મોરાદખાનીએ એક વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તેમણે ઇરાન સરકારને ‘હત્યારા’અને ‘બાળકોના હત્યારા’ બતાવ્યા હતા. સાથે જ આયાતુલ્લાહ ખામેનેઇની તુલના જર્મનીના તાનાશાહ હિટલર અને મુસોલિની સાથે કરી હતી.

ફરિદેહ મોરાદખાની એક પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર્તા છે. આ વીડિયોમાં બીજા દેશની સરકારને અપીલ કરી રહ્યા હતા કે તેઓ ઇરાન સાથે બધા સંબંધોને ખત્મ કરી નાખે. આ વીડિયોને ઓનલાઇન પોસ્ટ કર્યાના બે દિવસ પછી જ તેમની ધરપકડ કરવામાં આવી. ફરિદેહના વીડિયોને તેમના ભાઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, ત્યાર બાદ પ્રદર્શનકારીઓ તેને ખૂબ શેર કરી રહ્યા છે. તેની ધરપકડ થવાની જાણકારી તેના ભાઇએ આપી હતી. ફરિદેહ એક એન્જિનિયર છે, તેના પિતા વિપક્ષના મોટા નેતા હતા. જેમણે ખામેનેઇની બહેન સાથે લગ્ન કર્યા હતા.

ફરિદેહના ભાઇ મહમૂદ મોરાદખાની અનુસાર તેમને એક સમન્સ પાઠવીને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી. પોતાના વીડિયોમાં ફરિદેહે પ્રદર્શનકારીઓના દમનની આલોચના કરી હતી. તેમણે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીની પણ કોઇ એક્શન ન લેવા માટે નિંદા કરી હતી અને ઇરાન પર લગાવેલા સૈંક્શનસને મજાક ગણાવી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow