આ સાઉથ સ્ટારે એક નહીં, પણ 8 બોલીવુડ ફિલ્મોની ઑફર ફગાવી હતી, હવે જણાવ્યું ચોંકાવનારું કારણ

આ સાઉથ સ્ટારે એક નહીં, પણ 8 બોલીવુડ ફિલ્મોની ઑફર ફગાવી હતી, હવે જણાવ્યું ચોંકાવનારું કારણ

અદિવિ શેષે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પોતાના સંબંધો પર કરી વાત

મેજર ફેમ સાઉથ અભિનેતા અદિવિ શેષ નવી ફિલ્મ હિટ 2ની રીલીઝ બાદ ફરી એક વખત ચર્ચાનો ભાગ બની ગયા છે. અદિવિ શેષની નવી ફિલ્મ હિટ 2ને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. દર્શકોએ ફિલ્મને રીલીઝના એક દિવસ બાદ જ હિટ જણાવી દીધી છે. ફિલ્મને સિનેમાઘરોથી લઇને ફિલ્મી પોર્ટલ પર સારા રિવ્યુજ મળી રહ્યાં છે. હિટ 2ના સારા પર્ફોમન્સ બાદ અદિવિ શેષે પોતાના અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પોતાના સંબંધો પર વાત કરી છે.

8 બોલીવુડ ફિલ્મોની ઑફર ફગાવી

અદિવિ શેષ એક સારા અભિનેતા છે, તેઓ ખૂબ સમજી-વિચારીને ફિલ્મો કરવામાં વિશ્વાસ રાખે છે. અભિનેતાની નવી ફિલ્મ રીલીઝ વચ્ચેનો તેમનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઇ રહ્યો છે, જ્યાં તેમણે જણાવ્યું કે તેમણે બોલીવુડની 8 ફિલ્મોની ઑફર ફગાવી છે. હાલમાં અદિવિ શેષે પિન્કવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું, તેમણે બોલીવુડ 8 ફિલ્મોને ના પાડી દીધી છે, કારણકે તેમની પાસે ઘણી ટૉલીવુડના ઑફર્સ છે.

કેટલીક ફિલ્મોને ક્રિએટીવ તરીકે પસંદ પણ કરાતી

ઈન્ટરવ્યુમાં અદિવિ શેષે જણાાવ્યું, મેં 8 બોલીવુડ ફિલ્મોને ના પાડી દીધી છે, કારણકે મારી પાસે પહેલેથી જ કમિટમેન્ટ હતા અને તે બધા તાત્કાલિક કામ શરૂ કરવા માંગતા હતા. તેમાંથી કેટલીક ફિલ્મોને ક્રિએટીવ તરીકે પસંદ પણ કરવામાં આવતી હતી. પરંતુ તેની પહેલા મારા અનેક પ્રોફેશનલ કમિટમેન્ટ્સ હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow