સાઉથની અભિનેત્રીએ શેર કર્યા પતિ સાથેના Photos તો લોકોએ કરી ટ્રોલ-કહ્યું પૈસા હોય તો શું ન થઈ શકે!

સાઉથની અભિનેત્રીએ શેર કર્યા પતિ સાથેના Photos તો લોકોએ કરી ટ્રોલ-કહ્યું પૈસા હોય તો શું ન થઈ શકે!

વર્ષ 2022માં, ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખરે દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી મહાલક્ષ્મી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદમા જ રવિન્દ્ર અને મહાલક્ષ્મીની જોડી હંમેશા ચર્ચાના ચકડોળે ચડે છે આવી સ્થિતિ વચ્ચે લગ્નના 4 મહિનાનો સમયગાળો વીત્યા બાદ વધુ એક વખત આ જોડી ચર્ચામાં આવી છે. જેનું કારણ એ છે જે તાજેતરમાં જ રવિન્દ્ર ચંદ્રશેખરે અને મહાલક્ષ્મીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં બનેને એકબીજા પર પ્રેમ વરસાવ્યો હતો.આ દરમિયાન મહાલક્ષ્મીએ પૈસા માટે ફિલ્મમેકર રવિન્દ્ર સાથે લગ્ન કર્યા હોવાનું યુઝર્સ જણાવી રહ્યા છે તો જેના કારણે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.  

લગ્નના 4 મહિનાની ખુશીમાં પોસ્ટ શેર કરી

લગ્નના 4 મહિના થાવની ખુશીમાં અભિનેત્રી મહાલક્ષ્મીએ ફોટો શેર કર્યો હતો. જેમાં રવિન્દ્રએ લખ્યું કે મારી ખુશી એટલા માટે નથી કે હું તમને પ્રેમ કરું છું. પણ તે તું મારા માટે જીવ છો તેના માટે ખુશી છે. વધુમાં ભલે હું એમને કહી ન શકું પણ અમ્મુ મેં આ 100 દિવસની પોસ્ટ માટે સારું કૅપ્શન લખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જેમાં હું કોઈ નાટકીય વાત લખતો નથી. મને જે લાગે છે તે લખી રહ્યો છું.  

મારા જીવનની આઠમી અજાયબી

વધુમાં તેમણે લખ્યું કે 'અમ્મુ 37 વર્ષ પછી હું 100 દિવસમાં દરેક સેકન્ડને ખુશી સાથે જીવું છું. પ્રેમ, હૂંફ અને કાળજી, મસ્તી લડાઈ સાથે આમ જ આગળ વધારતા રહો. ઉપરાંત રવિન્દ્ર સાથે પોસ્ટ શેર કરતા મહાલક્ષ્મીએ લખ્યું જીવન સુંદર છે અને તમે પણ. તો અન્ય એક પોસ્ટમાં રવિન્દ્રએ લખ્યુ કે  મારા જીવનની આઠમી અજાયબી મહાલક્ષ્મી છે તો આ અંગે મહારાણીએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે લોકો ગમે તે કહે મારૂ હૃદય ધડકવાનું બંધ નહિ કરે ત્યાં સુધી હું તમને પ્રેમ કરતી રહીશ.  



યુઝર્શએ કરી આવી કોમેન્ટ

મહારાણી અને રવિન્દ્ર ચંદ્રશેખરની આ પોસ્ટ ટ્રોલ થઈ રહી છે. જેમાં યુઝર્શએ કોમેન્ટમાં લખ્યું કે ભાઈ શુ તમારે સરકારી નોકરી છે? અન્ય યુઝર્શએ લખ્યું કે રૂપિયા બહુ જ મહત્વના છે, તો એક યુઝર્શએ એવું પણ લખ્યું કે રૂપિયા છે તો બધું જ શક્ય છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow