મ્યુચ્યુઅલ ફંડની ફી કામગીરીના આધારે સેબીની યોજના નક્કી થશે

મ્યુચ્યુઅલ ફંડની ફી કામગીરીના આધારે સેબીની યોજના નક્કી થશે

માર્કેટ્સ રેગ્યુલેટર સેબી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની નવી કેટેગરીને મંજૂરી આપવાનું વિચારી રહી છે. જેમાં,એસેટ મેનેજરને લગતા ચાર્જને તેની કામગીરી સાથે જોડવામાં આવશે. જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે સેબીની દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ ફંડ સંબંધિત બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો એસેટ મેનેજમેન્ટ કંપની વધુ ફી વસૂલી શકે છે. સેબીની દરખાસ્તનો અર્થ એ છે કે રોકાણકારોએ આવનારા સમયમાં ઉંચુ રિટર્ન આપતી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે વધુ ફી ચૂકવવી પડી શકે છે. પરંતુ તેની બીજી બાજુ પણ છે કે ફંડ માટે મૂળભૂત ફી ઘટશે. વધારાની ફી ત્યારે જ વસૂલવામાં આવશે જો ફંડની કામગીરી સામાન્ય ટ્રેન્ડ કરતાં વધુ સારી હોય.

ફંડ હાઉસ અત્યારે 2.25% સુધી ફી વસૂલે છે
અત્યારે એસેટ મેનેજમેન્ટ કંપનીઓને રોકાણની રકમના 0 થી 2.25% સુધીની ફી વસૂલવાની છૂટ છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં વધુ રોકાણકારોને આકર્ષવા માટે ફંડ હાઉસને માર્કેટિંગ માટે વધારાની ફી વસૂલવાની પણ છૂટ છે. સેબી મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત નિયમોમાં સતત સુધારો કરી રહી છે. તેનું કારણ એ છે કે 39.46 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું સંચાલન કરતા આ ઇન્ડસ્ટ્રીઝમાં છેતરપિંડી અને ગેરરીતિ સંબંધિત ફરિયાદો વધી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow