દેશમાં 3 વર્ષ સુધીમાં ફિક્સ ડિપોઝિટ્સના દરો 5.5-8.5% સુધી પહોંચી શકે

દેશમાં 3 વર્ષ સુધીમાં ફિક્સ ડિપોઝિટ્સના દરો 5.5-8.5% સુધી પહોંચી શકે

બેન્કોમાંથી લોનની માંગ 9 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી છે. પરંતુ ડિપોઝિટમાં નિરુત્સાહી ટ્રેન્ડ છે. જેને કારણે બેન્કો પાસે ફંડ સતત ઘટી રહ્યું છે. જેને કારણે ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો થાય તે ચોક્કસ છે. આગામી એક વર્ષમાં ડિપોઝિટ રેટ્સ 1.75-2.25% સુધી વધે તેવી શક્યતા છે.

ભારતીય રિઝર્વ બેન્કના તાજેતરના આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં 26 ઓગસ્ટ સુધી બેન્કોએ 5.66 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું છે. જે છેલ્લા નાણાકીય વર્ષના 26 ઓગસ્ટ સુધી વિતરિત કરાયેલી લોનથી 4.8 ટકા વધુ છે.

ગત વર્ષે ઓગસ્ટમાં આ મામલે 0.5%નો ઘટાડો થયો છે. તે ઉપરાંત, આ કેલેન્ડર વર્ષ 2021માં 26 ઓગસ્ટ સુધી અપાયેલી લોનથી 15.5% વધુ છે. તે 1 નવેમ્બર, 2013 પછીનો લોનનો સૌથી ઉચ્ચ આંકડો છે. નવેમ્બર 2013માં લોન ગ્રોથ 16.1% હતો.

બીજી તરફ 2022માં 26 ઓગસ્ટ સુધી ડિપોઝિટમાં 9.5 ટકા વધારો થયો છે. જે તેની ત્રણ વર્ષની સરેરાશ કરતા 13 ટકા ઓછી છે. બેન્કિંગ સિસ્ટમમાં તેજીથી રોકડ ઘટી રહી છે અને લોકો બેન્કોમાં બચત કરવાનું ટાળી રહ્યાં છે, જેને કારણે બેન્કોની લોન ડ્રિસ્ટીબ્યૂશન પ્રોસેસને અસર થઇ શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow