પોલીસે બંનેની ચેટ રિકવર કરી, તુનિષાએ આત્મહત્યા કરી તે દિવસે એક્ટરે દોઢ કલાક વાત કરી હતી

પોલીસે બંનેની ચેટ રિકવર કરી, તુનિષાએ આત્મહત્યા કરી તે દિવસે એક્ટરે દોઢ કલાક વાત કરી હતી

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા સુસાઇડ કેસમાં પોલીસે બુધવાર, 4 જાન્યુઆરીના રોજ શિજાન મોહમ્મદ ખાનની સિક્રેટ ગર્લફ્રેન્ડનો ફોન જપ્ત કર્યો છે. ડિલિટ કરેલી ચેટ રિકવર કરવા માગે છે. હાલમાં જ પોલીસે શિજાનની સિક્રેટ ગર્લફ્રેન્ડની પૂછપરછ પણ કરી હતી.  

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અત્યાર સુધી બંને ફોનમાંથી કેટલીક ચેટ્સ રિકવર કરવામાં આવી છે. આ ચેટ્સથી ખ્યાલ આવે છે કે શિજાને તુનિષાએ આત્મહત્યા કરી તેના થોડા કલાક પહેલા સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથે દોઢ કલાક સુધી વાત કરી હતી.

શિજાન-તુનિષાની ચેટ રિકવર થઈ
પોલીસે થોડા દિવસ પહેલા શિજાનના ફોનમાંથી વ્હોટ્સએપ ચેટ તથા રેકોર્ડિંગ રિટ્રીવ કર્યું હતું. તમામ ચેટને સ્કેન કરવામાં આવી હતી. જોકે, બંનેની ચેટમાંથી પોલીસને કંઈ જ શંકાસ્પદ મળ્યું નથી.

તુનિષાની માતાએ શિજાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી
તુનિષાએ 24 ડિસેમ્બરના રોજ સિરિયલ 'અલીબાબા દાસ્તાને કાબુલ'ના સેટ પર આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના થોડાં સમય બાદ જ વનીતા શર્માએ દીકરીના કો-સ્ટાર શિજાન સામે પોલીસ ફરિયાદ કરી હતી. વનીતા શર્માનો આક્ષેપ હતો કે શિજાને જ દીકરીને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી. શિજાન હાલમાં જેલમાં છે.

શિજાનના વકીલે શું કહ્યું?
શિજાનના વકીલે કહ્યું હતું કે પોલીસ પાસે શિજાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તુનિષાની માતાએ લગાવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને તેમને વિશ્વાસ છે કે શિજાન નિર્દોષ જાહેર થશે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow