ઇક્વિટી માર્કેટમાં આ વર્ષે IT શેરોનું પર્ફોમન્સ 14 વર્ષમાં સૌથી નબળું!

ઇક્વિટી માર્કેટમાં આ વર્ષે IT શેરોનું પર્ફોમન્સ 14 વર્ષમાં સૌથી નબળું!

ઇક્વિટી માર્કેટમાં ચાલુ વર્ષે આઇટી કંપનીઓના શેર્સમાં સરેરાશ 14 વર્ષમાં સૌથી નબળું પ્રદર્શન નોંધાવ્યું છે. સેન્સેક્સ 63 હજારની સપાટીને સ્પર્શ્યા બાદ અત્યારે 62 હજાર પોઇન્ટની ઉપર છે. એનાલિસ્ટોએ આશંકા વ્યક્ત કરી છે કે સ્થાનિક IT કંપનીઓ લાંબા સમય સુધી મંદીનો સામનો કરી શકે છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર 2022માં અત્યાર સુધીમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ સરેરાશ 25% ઘટ્યો છે. જો તેમાં સુધારો નહીં થાય તો 2008 પછી આઇટી ઇન્ડેક્સનું આ સૌથી નબળું પ્રદર્શન હશે. 14 વર્ષ પહેલાં વિશ્વ નાણાકીય કટોકટીની ઝપેટમાં હતું અને આઇટી ઇન્ડેક્સ લગભગ 55% તૂટી ગયો હતો. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક લેહમેન બ્રધર્સના પતન બાદ વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

IT સ્ટોક્સે 2021 સુધી સતત 5 વર્ષ સુધી 31% રિટર્ન આપ્યું
2021 સુધીમાં આ શેરોમાં સતત પાંચ વર્ષ સુધી મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન નિફ્ટી આઇટીએ લગભગ 31% નું વાર્ષિક રિટર્ન આપ્યું હતું. રોકાણકારે 2016માં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ શેર્સમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો 2021 સુધીમાં તેની મૂડી લગભગ રૂ. 3.85 લાખ થઈ ગઈ હોત. પરંતુ આ વર્ષે ઘટીને રૂ. 2.89 લાખથી ઓછું થઈ ગયું હશે.

વિકસિત દેશોમાં મંદીના કારણે IT શેરો માટે જોખમ વધ્યું
બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલએ એક યાદીમાં જણાવ્યું હતું કે યુએસ અને યુરોપ જેવી વિકસીત અર્થવ્યવસ્થાઓ મંદીની ઝપેટમાં છે. ભારતીય આઇટી સેવાઓ કંપનીઓની લગભગ 90% આવક આ દેશોમાંથી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow