યુક્રેનના લોકોનો જુસ્સો પણ સૈન્ય જેવો બુલંદ

યુક્રેનના લોકોનો જુસ્સો પણ સૈન્ય જેવો બુલંદ

ડોનેત્સના બખમુટમાં કડકડતી ઠંડીમાં તહેનાત જવાનોની હાલત અંગે જાણકારી બાદ હવે યુક્રેનની રાજધાની કીવ પહોંચી છું. અહીં સાંજના 5 વાગ્યા છે અને શહેરમાં અંધકાર છવાયેલો છે. અહીં પણ પારો ગગડીને માઇનસમાં છે. ચાર રસ્તા પર કેટલીક ટ્રાફિક લાઇટ ચમકી રહી છે. હું રહેણાક વિસ્તારમાં કોલોની તરફ પહોંચી છું. આ વિસ્તારોમાં પણ અંધારપટ છે.

કેટલાંક ઘરો અને ફ્લેટ્સમાં થોડીક રોશની જોવા મળી રહી છે. કેટલાંક ઘરોમાં મીણબતીનો પ્રકાશ છે. વીજકાપ અંગે તપાસ કરતા ખબર પડી કે સાંજે 5 કલાક સુધી લોકો કામ પતાવીને ઘરે આવે ત્યાં સુધી વીજકાપ હોય છે. પાણીની બોટલ ભરીને લઇ જતા વરફોલોમીવે જણાવ્યું કે સાંજ થતા જ રોશની માટે અમે મીણબતી કરીએ છીએ. તેની જ રોશનીમાં સાંજની રસોઇ તૈયાર કરાય છે. રશિયાને કારણે અમે મજબૂર છીએ. રશિયાએ રાજધાનીના દરેક ખૂણામાં હુમલા કર્યા છે. તેઓએ હુમલો કરીને મૂર્ખતાભર્યું કામ કર્યું છે તેવો અહેસાસ થવો જોઇએ. તેઓ આતંકીઓની માફક શાંતિપ્રિય જનતાને નિશાન બનાવી રહ્યા છે.

આ યુક્રેનના ઇતિહાસમાં સૌથી પડકારજનક શિયાળો હશે, પરંતુ અમે તૈયાર છીએ. અમે પાણી-વીજળી અને સંચાર (ફોન, મોબાઇલ, ઇન્ટરનેટ વગર) રહેવા પણ તૈયાર છીએ, પરંતુ તે ગુલામી હેઠળ જીવન વિતાવવું અસંભવ છે જેમાં રશિયા અમને ધકેલવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેઓ ઇચ્છે છે કે ઠંડીને કારણે અમારો જુસ્સો ઠંડો પડે અને રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સકી રશિયા સાથે વાતચીત કરવા માટે મજબૂર થાય. મારા જેવા તમામ યુક્રેની નાગરિકોને તે જરા પણ મંજૂર નથી.

ગિલે એક કબાટ દર્શાવતા કહ્યું કે અહીં ઠંડીથી બચવા માટે કપડાં, સ્લીપિંગ બેગ અને ધાબળો છે. ફ્લેટમાં ઠંડી છે. પરંતુ આ સ્થિતિ તે જવાનો કરતાં સારી છે જે રશિયાના સૈન્ય સામે મક્કમપણે તહેનાત છે. માટે જ અમને ફરિયાદનો અધિકાર નથી. આ વચ્ચે યુક્રેનના નાયબ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે યુક્રેનના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રશિયન મિસાઇલથી કોઇ નુકસાન નહીં થાય.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow