ગાઝામાંથી નીકળવાનો એકમાત્ર રસ્તો પણ બંધ

ગાઝામાંથી નીકળવાનો એકમાત્ર રસ્તો પણ બંધ

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલે કોઈપણ યુદ્ધવિરામનો ઈનકાર કર્યો છે. હકીકતમાં યુએન અને કેટલાક અન્ય દેશો યુદ્ધવિરામની માગ કરી રહ્યા છે, જેથી ગાઝાપટ્ટીમાં માનવતાવાદી સહાય પહોંચાડી શકાય. આ સિવાય ગાઝામાં ફસાયેલા વિદેશી નાગરિકોને બહાર કાઢીને ઈજિપ્ત લઈ જવાની યોજના હતી.

રાહત સામગ્રી વહન કરતી ઘણી ટ્રકો હાલમાં ઇજિપ્ત-ગાઝા સરહદ પર ફસાયેલી છે. ઈઝરાયલની સેના અહીં બોમ્બમારો કરી રહી છે, જેના કારણે રાહત સામગ્રી ગાઝા સુધી પહોંચી રહી નથી. ગાઝાપટ્ટીની અંદર અને બહાર જવાનો એક જ રસ્તો છે. એને રાફા ક્રોસિંગ કહેવામાં આવે છે. ઈઝરાયલનું આના પર કોઈ નિયંત્રણ નથી. તે મંગળવારથી બંધ છે, કારણ કે ઇઝરાયલની વાયુસેના અહીં હુમલો કરી રહી છે.

શનિવારે એક અમેરિકન અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું હતું કે ઇઝરાયલ ગાઝામાં ફસાયેલા અમેરિકન નાગરિકોને રફાહ ક્રોસિંગ દ્વારા બહાર કાઢવા માટે સંમત છે. બાદમાં ઈઝરાયલે આ અહેવાલને નકારી કાઢ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow