બ્રેઈન સ્ટ્રોકના મહિલા દર્દીના ચાલુ ઓપરેશને ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

બ્રેઈન સ્ટ્રોકના મહિલા દર્દીના ચાલુ ઓપરેશને ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

વિવાદોમાં રહેવા ટેવાયેલી‎જામનગરની જી.જી. હોસ્પિટલમાં‎ચાલુ ઓપરેશને ફોટો સેશન કરી‎તેને સોશિયલ મીડિયામાં વાયરલ‎કરનાર 2 ડોક્ટરોના કરતૂત બહાર‎આવતા ભારે ચકચાર મચી જવા‎પામી છે. ઉલ્લેખનીય છે કે,‎મેડિકલના નિયમ મુજબ આવી રીતે‎ચાલુ ઓપરેશનના ફોટા મૂકી‎શકાતા કે પાડી શકાતા નથી.‎જામનગર શહેરની સરકારી અને‎સૌરાષ્ટ઼્રની સૌથી મોટી જી.જી.‎હોસ્પિટલમાં 4 દિવસ પહેલા એક‎મહિલાને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો‎આવતા ગંભીર હાલતમાં તેણીને‎જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં‎આવી હતી જ્યાં મોડીરાત્રે તેના પર‎સર્જરી કરવામાં આવી હતી.

ન્યુરો‎સર્જન તેમજ અન્ય ડોક્ટર જેમાં ડો.‎પ્રતિક તેમજ ડો. ઈશ્વર હાજર‎હતા. તેમણે ચાલુ ઓપરેશને‎મહિલાનું મગજ ખૂલેલી હાલતમાં‎તેની સાથે પોતાના ફોટા પડાવ્યા‎હતા. તેમજ ઓપરેશન સફળ થયું‎હોય તેમ સફળતાની ચિન્હો‎દેખાડતા ચાલુ ઓપરેશને ફોટા‎મોબાઈલમાં પાડ્યા હતા.‎એટલું જ નહીં તેમણે આ ફોટા‎પોતાના સોશિયલ મીડિયા‎એકાઉન્ટમાં મૂક્યા હતા. જે બહાર‎આવતા ભારે હોબાળો મચી જવા‎પામ્યો હતો. આવી રીતે ચાલુ‎ઓપરેશને દર્દીના જીવને જોખમમાં‎મૂકી ફોટોગ્રાફી કરવાની ઘેલછા એ‎નિયમોનું સદંતર ઉલ્લંઘન છે. ત્યારે‎હવે કોલેજ મેનેજમેન્ટ પણ બંને‎વિદ્યાર્થીઓ પર પગલાં લેવાની‎તૈયારીઓ કરી રહ્યા છે.‎

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow