અમેરિકામાં પોતાને ઇજા પહોંચાડીને હૉસ્પિટલ જનારા કિશોરોની સંખ્યામાં 11 વર્ષમાં 163%નો વધારો થયો

અમેરિકામાં પોતાને ઇજા પહોંચાડીને હૉસ્પિટલ જનારા કિશોરોની સંખ્યામાં 11 વર્ષમાં 163%નો વધારો થયો

અમેરિકામાં સ્યુસાઇડલ બિહેવિયરને કારણે પોતાને નુકસાન પહોંચાડતા કિશોરોની સંખ્યા ઝડપી વધી રહી છે. છેલ્લાં 11 વર્ષમાં આવાં બાળકો તેમજ કિશોરોની સંખ્યા વધીને 163% સુધી પહોંચી ચૂકી છે. તેમાં મોટા ભાગનાં બાળકો 11થી 14 વર્ષના છે. ડાર્ટમાઉથ કૉલેજના સંશોધકોએ 47 લાખ 68 હજાર બાળકો અને કિશોરો પરના ડેટાનું સંશોધન કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, 2009 અને 2019ની વચ્ચે, મેન્ટલ હોસ્પિટલોમાં 25.8% બાળકો ભરતી થયાં હતાં અને તેમની સારવાર પાછળ 1 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા છે.

2009માં હોસ્પિટલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા અથવા પોતાને નુકસાન પહોંચાડીને પોતાનો ઇલાજ કરાવનારાં બાળકો અથવા કિશોરોની સંખ્યા 30.7% હતી. આ સંખ્યા 2019 સુધીમાં વધીને 64.2% એટલે કે બમણાથી વધુ વધી છે. તદુપરાંત આત્મઘાતી પ્રયાસો કરનારાં બાળકોની ટકાવારી 2009ના 3.5%થી વધીને 2019માં 12.7% થઇ ચૂકી છે.

સ્ટોની બ્રુક યુનિવર્સિટી મેડિકલ કૉલેજમાં બાળ અને કિશોર મનોચિકિત્સાના ડાયરેક્ટર ડૉ. ગ્રેબિયલ એ.નું કહેવું છે કે અમેરિકન યુવાઓના આત્મઘાતી વ્યવહારમાં વધારો એ કોઇ નવી બાબત નથી. પરંતુ આ રિસર્ચ હેલ્થ સિસ્ટમની સમસ્યાને દર્શાવે છે. બાળકોની સારવાર માટે વાલીઓએ દરેક સ્તર પર અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow