દેશના MSME સેક્ટરની એનપીએ ઘટીને 12.5% નોંધાઇ

દેશના MSME સેક્ટરની એનપીએ ઘટીને 12.5% નોંધાઇ

કોવિડ-19 મહામારી દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયેલા MSME સેક્ટરનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે. દેશના MSME સેક્ટરની એનપીએ સપ્ટેમ્બર, 2022 સુધીમાં ઘટીને 12.5 ટકા નોંધાઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન એટલે કે સપ્ટેમ્બર, 2021 દરમિયાન 13.9 ટકા હતી. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઉચ્ચ ક્રેડિટ ગ્રોથ છતાં પણ એનપીએમાં ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાન્સયુનિયન સિબિલના રિપોર્ટ અનુસાર લોન રિન્યુઅલને બાદ કરતાં એકંદરે વિતરણ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 24 ટકા વધ્યું હતું, જેમાં રૂ.1 કરોડનું એક્સપોઝર ધરાવતા માઇક્રો ઇન્ડસ્ટ્રી સેગમેન્ટમાં 54 ટકા હતું.

લઘુ ઉદ્યોગો માટે લોનનું કદ વધીને 34 ટકા અને નાના ઉદ્યોગો માટે તે 4 ટકા વધ્યું હતું. CIC અનુસાર એમએસએમઇ સેક્ટરમાં રોજગારી સર્જન અને જીડીપીમાં યોગદાન માટે ધિરાણની માંગ ખૂબ જ અનિવાર્ય છે. MSME સેક્ટર માટે ધિરાણની વધુ માંગ જોવા મળી હતી. કોમર્શિયલ ક્રેડિટની પૂછપરછના હિસાબે MSME લોનની માંગ કોવિડ મહામારીના સમયગાળા કરતાં 1.7 ગણી વધી છે. ધિરાણદારોએ સપ્ટેમ્બર, 2022 સુધીમાં એમએસએમઇ સેક્ટરને રૂ.22.9 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું હતું, જેમાં 10.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow