સગીરાએ પુત્રને જન્મ આપ્યો, બાળક આરોપીના પરિવારને સોંપી દેવાશે

સગીરાએ પુત્રને જન્મ આપ્યો, બાળક આરોપીના પરિવારને સોંપી દેવાશે

શહેરની ભાગોળે જામનગર રોડ પરના પરાપીપળિયામાં રહેતી અને ખેતમજૂરી કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી કિશન નામનો શખ્સ અગાઉ ભગાડી ગયો હતો, પ્રેમી સાથેના સંબંધથી સગર્ભા બનેલી સગીરાએ રવિવારે સવારે પુત્રને જન્મ આપ્યો હતો, દુષ્કર્મના મામલામાં જેલમાં રહેલા આરોપીના પરિવારને બાળક સોંપી દેવાશે તેવું સગીરાના પરિવારજનોએ કહ્યું હતું.

પરાપીપળિયામાં પરિવારજનો સાથે રહીને ખેતમજૂરી કરતી એમપીની વતની 17 વર્ષની સગીરાને બાજુની વાડીમાં ખેતમજૂરી કરતા કિશન નામના શખ્સ સાથે આંખ મળી હતી અને નવેક મહિના પૂર્વે બંને ભાગી ગયા હતા, સગીરાના પરિવારજનોએ તત્કાલીન સમયે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્રણ મહિના બાદ સગીરા અને કિશનને ઝડપી લીધા હતા, કિશને સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યા હોય પોલીસે કિશન સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેને જેલહવાલે કર્યો હતો.

કિશન સાથેના સંબંધથી સગર્ભા બનેલી સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, સગીરાએ સવારે પુત્રને જન્મ આપ્યો હતો, સગીરા કુંવારી માતા બનતા જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. સગીરાની માતાએ જણાવ્યું હતું કે, કિશન તેની પુત્રીને અગાઉ ભગાડી ગયો હતો અને તેની સાથેના સંબંધને કારણે તેની પુત્રીએ દીકરાને જન્મ આપ્યો હતો.

સગીરાની માતાએ એમ પણ કહ્યું હતું કે, કિશનના મામા અને તેના પરિવારજનો સાથે આ અંગે વાતચીત થઇ હતી અને જન્મેલા બાળકને તે લોકો સ્વીકારી લેશે, જ્યારે અમારી પુત્રી અમારી સાથે રહેશે. પોલીસે બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવવાની કવાયત શરૂ કરી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow