નારી વંદના સંમેલનમાં વડોદરાના સંસ્મરણો તાજા કર્યા

નારી વંદના સંમેલનમાં વડોદરાના સંસ્મરણો તાજા કર્યા

નવલખી મેદાનમાં આયોજિત નારી વંદના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં જ પ્રવચન કર્યુ હતુ. વડોદરા સાથેના સંસ્મરણો તાજા કરી વડોદરાના વિસ્તારો અને ખાણીપીણીને યાદ કર્યા હતા. નારી વંદના સંમેલનને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગણેશોત્સવની ધૂન અને નવરાત્રિની તૈયારીઓ વચ્ચે મહિલાઓ મોટી સંખ્યામાં આવી છે.

વડોદરાએ મને દિકરાની જેમ સાચવ્યો છે અને મારા જીવનના ઘડતરમાં વડોદરાનું યોગદાન રહ્યુ છે તેવો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, વડોદરા આવુ ત્યારે મારી જૂની યાદ તાજી થઇ જાય છે. વિસ્તારોનો નામજોગ ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, શાસ્ત્રી પોળ સાથે આત્મિયતા હતી તો રાજમહેલ રોડ, ખારીવાવ, વાડી, માંજલપુર, બાજવાડા, ઘડિયાળી પોળ, મકરપુરા, સમા, અકોટા,ગોત્રી, કારેલીબાગ, દાંડિયાબજારમાં એટલો બધો સમય વિતાવ્યો છે કે યાદોનો ભંડાર છે.

વડોદરા આવો એટલે લીલો ચેવડો, ભાખરવડી, પેંડા, સેવઉસળ બધુ યાદ આવે અને આ તમારા બધાનો સ્નેહ નીતરે છે. નારી શકિત વંદન અધિનિયમથી દેશની નારી શકિતનુ કરજ ઉતાર્યુ છે, નારી સશકિતકરણ માટે દેશમાં જે પ્રયાસો થયા તેમાં વડોદરાને સિમાચિન્હ ગણવામાં આવે છે. ગાયકવાડી સરકારમાં દીકરીઓને મફત અને ફરજિયાત શિક્ષણ હતુ અને મ.સ.યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે મહિલા જ માર્ગદર્શન આપે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow