ટોપ-5 ટેક કંપનીઓની માર્કેટ વેલ્યૂ છેલ્લા 16 મહિનામાં રૂ. 1.47 લાખ કરોડથી વધુ ઘટી

ટોપ-5 ટેક કંપનીઓની માર્કેટ વેલ્યૂ છેલ્લા 16 મહિનામાં રૂ. 1.47 લાખ કરોડથી વધુ ઘટી

ઇક્વિટી માર્કેટમાં 2022ના વર્ષમાં વોલેટાલિટી ભર્યો માહોલ જોવા મળ્યો છે. માર્કેટ તાજેતરમાં જ તેની નવી ઉંચી સપાટીએ બંધ આપ્યા બાદ છેલ્લા ત્રણેક ટ્રેડિંગ સેશનથી ઘટાડા તરફી રહ્યું છે. ઇક્વિટી માર્કેટની સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ આવી જ સ્થિતી જોવા મળી છે. નવા જમાનાની સ્વદેશી ટેક કંપનીઓના આઈપીઓ પર સટ્ટાબાજી કરતા રોકાણકારો ગુમાવનારાઓમાં સામેલ છે.

સૌથી વધુ ચર્ચિત ટેક કંપનીઓમાંથી પાંચના શેર તેમના IPO પછી છેલ્લા 16 મહિનામાં જંગી ઘટ્યા છે. લિસ્ટિંગ બાદ આ કંપનીઓના માર્કેટ વેલ્યુમાં અત્યાર સુધીમાં 1.47 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

પેમેન્ટ ફર્મ પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનના મૂલ્યમાં સૌથી વધુ ઘટાડો થયો છે. અન્ય ટેક કંપનીઓ કે જેમની માર્કેટ વેલ્યુ લિસ્ટિંગ પછી ઘટી છે તેમાં ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો, એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ, બ્યુટી ઈ-રિટેલર નાયકા, લોજિસ્ટિક્સ ફર્મ દિલ્હીવેરી અને પીબી ફિનટેક, ઓનલાઈન ઈન્સ્યોરન્સ માર્કેટપ્લેસ પોલિસીબઝારના પેરન્ટનો સમાવેશ થાય છે.

LICએ ટોપ-10 કંપનીઓમાં 20000 કરોડના શેર વેચ્યા હતા
દેશની સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર LIC એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 105 કંપનીઓમાં હિસ્સો ઘટાડ્યો હતો. સૌથી મોટી વીમા કંપનીએ ટોપ-10 શેરોમાં આશરે રૂ. 20,000 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. ગયા ક્વાર્ટરમાં, LIC એ મારુતિ સુઝુકીના 43.2 લાખ શેર વેચીને તેનો હિસ્સો 4.86% થી ઘટાડીને 3.43% કર્યો.

ઈન્ડિયા વીઆઈએક્સ ઈન્ડેક્સ જે શેરબજારમાં ભયને તપાસે છે તે આ સપ્તાહની શરૂઆતમાં 14 મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો હતો. આવનારા મહિનાઓમાં સકારાત્મક વળતરને લઈને રોકાણકારોમાં વધી રહેલા વિશ્વાસનો આ સંકેત છે. NSE-જાળવવામાં આવેલ ઇન્ડેક્સ 14 નવેમ્બરના રોજ ઘટીને 12.55 પર આવી ગયો હતો, જે 24 માર્ચ 2020ના 86.63ની ટોચથી 83% નીચે હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow