ભાયાવદરમાં ગાળ ન બોલવા મુદ્દે શખ્સે પિતા-પુત્રને છરી ઝીંકી

ભાયાવદરમાં ગાળ ન બોલવા મુદ્દે શખ્સે પિતા-પુત્રને છરી ઝીંકી

ભાયાવદરમાં સામાન્ય ગાળો બોલવા જેવી નાની વાતમાં છરીના ઘા ઝીંકી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવની જાણ થતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાયાવદર ગામમાં પાનની દુકાન ચલાવતા એક શખ્સે દેવીપૂજક સમાજના પ્રમુખ વિનુભાઇ ઉર્ફે વિજુ બચુભાઇ મકવાણા અને તેમના પુત્ર આકાશને હાથમાં છરીના ઘા મારી દેતા સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વાત જાણે એમ છે કે, દેવીપૂજક સમાજના પ્રમુખ પુત્ર સાથે મિત્રને મળવા ગયા હોય, ત્રણેય ચાની મહેફિલ માણી રહ્યા હતા અને કોઇ મુદ્દે મોટેથી ચર્ચા કરી રહયા હતા. જેનો બાજુમાં આવેલી પાનની દુકાન ચલાવતા હિરેન પરમારના શખ્સે ગાળો ન બોલવા વિશે વિરોધ કરતા વાત છરીના ઘી ઝીંકવા સુધી પહોંચી ગઇ હતી. પાન દુકાનધારકે ઉગ્ર બનીને બન્ને પિતા-પુત્રને હાથના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.

બન્નેને​​​​​​લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં ઇજા વધુ ગંભીર હોવાની જાણ થતા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સમાજના પ્રમુખ ઉપર છરીથી હુમલો થતા ઘટનાસ્થળે દેવીપૂજક સમાજનું ટોળું ભેગું થઇ ગયું હતું અને ગંભીરતા પારખી જઇ હુમલાખોર સ્વયં પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પોલીસ હુમલાખોરની આકરી પૂછપરછ ચલાવી રહી છે. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow