ટાઇટન સબમરીન બનાવનારે કહ્યું- શુક્ર પર કોલોની બનાવીશું

ટાઇટન સબમરીન બનાવનારે કહ્યું- શુક્ર પર કોલોની બનાવીશું

ગયા મહિને એટલાન્ટિક મહાસાગરમાં વિસ્ફોટ કરનાર ટાઇટન સબમરીનના નિર્માતા ઓશનગેટ હવે શુક્ર પર કોલોની બનાવવાની તૈયારી કરી રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને Humans 2 Venus નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 2050 સુધીમાં શુક્રના વાતાવરણમાં સ્થાયી રહેવા યોગ્ય વાતાવરણ બનાવવામાં આવશે અને 1000 લોકોને ત્યાં મોકલવામાં આવશે.

ઓશનગેટ કંપની જે કોલોની બનાવવાની તૈયારી કરી રહી છે તે ફ્લોટિંગ કોલોની હશે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ Oceangate કંપનીના સહ-સ્થાપક ગિલેર્મો સોનલેન દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, ટાઇટન સબમરીન ડૂબી જવાથી અને 4 અબજોપતિ અને કંપનીના CEOના મોત બાદ કંપની સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુલેર્મો સોનલેન ટાઇટન સબમરીનના ઊંડા સમુદ્રમાં થયેલા વિસ્ફોટથી ઉભા થયેલા પ્રશ્નોને તેમની યોજનાઓને અસર કરવા દેવા નથી માગતા. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર ગુલેર્મોએ કહ્યું છે કે તેની યોજનામાં કોઈ ખામી નથી.

ગુલેર્મો કહે છે કે જ્યારે તે 11 વર્ષની હતા ત્યારથી તેમને વારંવાર એક સપનું આવે છે જેમાં તે અન્ય ગ્રહના કમાન્ડર છે. જ્યારે ટાઇટન સબમરીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 100% સલામતી જેવી કોઈ વસ્તુ નથી. જોખમ હંમેશા રહે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow