ટોક્યો છોડીને ગ્રામ્ય ક્ષેત્રોમાં રહેવા માટે જાપાન સરકાર નાગરિકોને 6 લાખ રૂપિયા આપી રહી છે

ટોક્યો છોડીને ગ્રામ્ય ક્ષેત્રોમાં રહેવા માટે જાપાન સરકાર નાગરિકોને 6 લાખ રૂપિયા આપી રહી છે

જાપાનમાં ઝડપી ગતિએ વધતી વસતીને કારણે સરકાર રાજધાની ટોક્યો સહિત અન્ય મહાનગરોને છોડવા માટે દરેક બાળકના હિસાબથી 6 લાખ 36 હજાર રૂપિયા આપી રહી છે. જેથી કરીને તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં જઇને વસવાટ કરી શકે. જાપાન સરકાર અનુસાર યુવા માતાપિતા જો ટોક્યો છોડીને અન્ય સ્થળોએ વસવાટ કરે છે તો તેઓને અન્ય સુવિધાઓ પણ અપાશે.

સરકારને આશા છે કે 2027 સુધી 10,000 લોકો ટોક્યોથી ગ્રામ્ય ક્ષેત્રો તરફ જશે. વાસ્તવમાં, દુનિયાના કેટલાક દેશો વસતીવધારાથી પરેશાન છે. તેમાં ભારત, ચીન અને જાપાન જેવા દેશો સામેલ છે. રાજધાની દિલ્હીથી લઇને બેઇજિંગ અને ટોક્યોમાં વસતી સતત વધી રહી છે. આ વસતીને ઘટાડવા માટે જાપાન સરકારે રસપ્રદ અને અસાધારણ રીત અપનાવી છે. એક રિપોર્ટ અનુસાર ટોક્યો દુનિયાનું સૌથી મોટું શહેર છે જેની વસતી 3.8 કરોડ છે. સરકારી આંકડાઓ અનુસાર જાપાનની વસતીમાં ઝડપી બદલાવ જોવા મળી રહ્યો છે. બાળકોની સંખ્યા તેજીથી ઘટી રહી છે અને 65થી વધુ ઉંમરના લોકોની સંખ્યા વધી રહી છે.

તદુપરાંત, સરકારના તમામ પ્રયાસો છતાં બાળકોની સંખ્યા વધી રહી નથી. જાપાનમાં ખાલી થઇ ચૂકેલા કસબાઓ અને ગામડાંઓમાં ગ્રામ્ય જીવન પ્રત્યે લોકોને આકર્ષિત કરાઇ રહ્યા છે. તેના માટે ચાઇલ્ડકેર સુધી સરળ પહોંચ બનાવાઇ છે. કેટલાક વિસ્તારોમાં કેટલાક ફેરફાર પણ કરાઇ રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow