ભચાઉના સામખીયાળી ધોરમાર્ગ પર આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો

ભચાઉના સામખીયાળી ધોરમાર્ગ પર આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો

ભચાઉ તાલુકાના સામખીયાળી નજીક મોરબી ધોરીમાર્ગ પર આવેલી હક સ્ટીલ કંપનીમાં રાજકોટ આયકર વિભાગ દ્વારા આજ મંગળવારના વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યું છે. અમદાવાદ સાથે કચ્છમાં આવેલા એકજ સમૂહના એકમો પર આઇટી તંત્ર ત્રાટક્યું છે, જ્યાં મોટાપાયે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે.

કંપનીના જવાબદારનો IT દરોડા અંગે ઇન્કાર
કચ્છના સામખીયાળી નજીક આવેલી હક સ્ટીલ કંપનીમાં આઈ.ટી. વિભાગના દરોડા અંગે સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ જિલ્લા બહારના આયકર વિભાગ તરફથી આ રેડ પાડવામાં આવી છે. જેમાં કંપની સંકુલ ખાતે આજે વહેલી સવારથી IT વિભાગ દ્વારા આધાર પુરાવાની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે હક સ્ટીલ કંપનીના સદાબ ઈરાકી સાથે વાત કરતા તેમણે રેડ પડી હોવાનો ઇન્કાર કર્યો હતો.કચ્છ આયકર વિભાગ પણ આ દરોડા વિશે બેખર હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્રના રોજગારલક્ષી યોજના હેઠળ બંધ પડેલા ઉધોગોમાં પુનઃ ગતિ લાવવાના ભાગરૂપે શરૂ થયેલી કંપનીમાં આયકર દરોડાની ચર્ચાથી સ્થાનિક ઉધોગ જગતમાં ચકચાર પ્રસરી જવા પામી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow