RBIના ગવર્નર સભ્યોની બેઠકમાં મુદ્દો ઉઠાવાયો

RBIના ગવર્નર સભ્યોની બેઠકમાં મુદ્દો ઉઠાવાયો

RBI બેન્કોમાં શ્રેષ્ઠ વહીવટીતંત્ર પર ભાર મૂકી રહી છે, પરંતુ કુલ 11 સરકારી બેન્કોમાંથી 6માં નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનના પદ ખાલી છે. તેમાંથી કેટલીક બેન્કોમાં 2 વર્ષથી વધુ સમયથી ચેરમેન નથી. યુકો બેન્ક, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, બેન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, ઇન્ડિયન બેન્ક અને બેન્ક ઑફ ઇન્ડિયા તેમાં સામેલ છે.

યુકો બેન્ક અને બેન્ક ઑફ મહારાષ્ટ્રમાં 2015માં ચેરમેન અને એમડી પદ અલગ કરાયા બાદથી પાર્ટ ટાઇમ ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. મોટા ભાગની સરકારી બેન્કોમાં સ્વતંત્ર ડિરેક્ટર્સની સંખ્યા પણ પર્યાપ્ત નથી. મોટા ભાગની બેન્કોમાં બોર્ડના સભ્યોમાં એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સામેલ છે. કેટલીક બેન્કોમાં 3 અથવા 4 એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિઝર્વ બેન્ક અને સરકાર દ્વારા નિમણૂક કરાયેલા ડાયરેક્ટર્સ, શેરહોલ્ડ ડાયરેક્ટર છે. સરકારી બેન્કોમાં ચેરમેન પદ ખાલી હોવાનો મુદ્દો રિઝર્વ બેન્કના ગવર્નરની સાથે જ સરકારી બેન્કોના બોર્ડના સભ્યોની સાથે થયેલી બેઠકમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો.

વૈશ્વિક અનિશ્ચિતત્તા અને વધી રહેલા વ્યાજદરોના કારણે બેન્કિંગ સંકટ સર્જાયું છે પરંતુ ભારતીય મોટાભાગની બેન્કોના નફામાં વૃદ્ધિ નોંધાઇ છે. માર્ચ અંતના રોજ પૂરા થતા નાણાવર્ષ અને ત્રિમાસીક ગાળા દરમિયાન મોટાભાગની બેન્કોના નફામાં સરેરાશ 20-50 ટકા સુધી વધારો થયો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow