દેશની ટૉપ 500 કંપનીઓની આવક 7 ટકા વધી

દેશની ટૉપ 500 કંપનીઓની આવક 7 ટકા વધી

દેશમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં BSE 500 ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓની આવક સરેરાશ 7% વધી છે, પરંતુ તેનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાન ક્વાર્ટરની તુલનાએ 46% વધ્યો છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના રિપોર્ટ અનુસાર, કાચા માલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે કંપનીઓનો નફો વધ્યો છે. કાચા માલ પર આ કંપનીઓનો ખર્ચો ગત વર્ષના જૂન ક્વાર્ટરમાં 60% હતો, જે આ વર્ષે એપ્રિલ-જૂનમાં ઘટીને 56% રહ્યો છે. દરમિયાન કંપનીઓની અન્ય આવકમાં પણ 35%નો ઉછાળો જોવા મળ્યો છે.

બીએસઇ-500 ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓના નફામાં 75% તેમજ આવકમાં 67% હિસ્સો ટોપ-100 કંપનીઓનો રહ્યો છે. રિપોર્ટમાં ચાલુ નાણાકીય વર્ષમાં BSE 500 કંપનીઓનું ઇપીએસ (અર્નિંગ પર શેર્સ) 1,224 રૂપિયા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, નફામાં મજબૂત વધારા છતાં ઇપીએસ સ્થિર થઇ રહ્યું છે.

આ આંકડા નાણાકીય વર્ષ 2024-25માં 1,557 પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર બીએસઇની ટૉપ 500 કંપનીઓએ સરેરાશ 15.79% રિટર્ન આપ્યું છે. રિપોર્ટ અનુસાર BSE-500 કંપનીઓના માર્જિનમાં નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટર દરમિયાન રિકવરી જોવા મળી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow