મહેસાણા શાકમાર્કેટમાં ટામેટાની આવક 20 ટનથી ઘટી 8 ટન થઇ

મહેસાણા શાકમાર્કેટમાં ટામેટાની આવક 20 ટનથી ઘટી 8 ટન થઇ

દિવાળી પછી શિયાળામાં કડી, કલોલ, ઇડર સહિત ઉત્તર ગુજરાતમાં ટામેટાના મબલખ પાકના કારણે ખેડૂતોને તળિયાના રૂ. 20થી 30ના ભાવે કિલો ટામેટા વેચવાની ફરજ પડી હતી. જોકે, હાલ આ સ્થાનિક ટામેટાની સિઝન નથી અને માવઠામાં રહ્યો સહ્યો પાક પણ બગાડી ગયો હતો. આવામાં નાસિક, બેંગ્લુરુ અને મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવક પણ ઘટી છે. જેની સીધી અસર ભાવમાં દેખાઇ રહી છે. મહેસાણા હોલસેલ શાકમાર્કેટમાં રોજ થતી 20 ટન ટામેટાની આવક હાલ ઘટીને 8 ટન થઇ ગઇ છે. એટલે ટામેટાની ઓછી આવકના કારણે ભાવ પ્રતિ કિલો રૂ.100 સુધી ઊંચકાયા હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યા છે.

ટામેટાની ઓછી આવકના કારણે ભાવ ઊંચકાયા
મહેસાણામાં મોટાભાગે મેથી ઓક્ટોબરમાં ટામેટા નાસિક, મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી વાયા અમદાવાદ થઇ વિવિધ હોલસેલ માર્કેટથી છુટક બજારો સુધી પહોંચે છે. સ્થાનિક ટામેટાની આવક ઓછી થતાં મહારાષ્ટ્રના ટામેટાની આવક પર માર્કેટ નિર્ભર રહે છે. મહેસાણા હોલસેલ શાકમાર્કેટના વેપારીઓનું કહેવું કે, છ મહિના સુધી કડી, કલોલ, ઇડર વિસ્તારમાંથી ટામેટા માર્કેટમાં આવતો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow