યાર્ડમાં લીલા શાકભાજીની આવક વધી, એક સપ્તાહ બાદ ટમેટાંની આવક વધશે

યાર્ડમાં લીલા શાકભાજીની આવક વધી, એક સપ્તાહ બાદ ટમેટાંની આવક વધશે

સોમવારની સરખામણીએ મંગળવારે ટમેટાંના ભાવમાં એક મણે રૂપિયા 600નો ઘટાડો થયો હતો. આમ છતાં છૂટક બજારમાં ટમેટાંનો ભાવ 150થી લઈને 180 સુધી બોલાયો હતો. આવક વધતા ભાવ ઘટ્યા હતા. હાલ બેંગ્લોરથી ટમેટાં આવી રહ્યા છે. એક સપ્તાહ બાદ નાસિકથી આવક શરૂ થશે અને ટમેટાંના ભાવમાં ઘટાડો આવશે એમ વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે સિંગતેલમાં મંગળવારે સતત તેજી રહેતા ડબ્બાનો ભાવ રૂપિયા 3100 થયો હતો. વરસાદે વિરામ લેતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લીલા શાકભાજીની આવક વધી રહી છે ત્યારે શાકભાજીના ભાવમાં મહદંશે ઘટાડો નોંધાયો છે.

જોકે છૂટક બજારમાં હજુ ઉંચા જ ભાવ વસૂલાતા હોવાની ફરિયાદ ગૃહિણી અને લોકોમાં ઊઠી છે. હાલ સૌથી વધુ બટેટાની આવક થઈ રહી છે અને પુરુષોત્તમ માસના ઉપવાસને કારણે સૌથી વધુ ડિમાન્ડ પણ તેની જ રહેતી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અત્યારે યાર્ડમાં ટમેટાંની એક ગાડીની આવક નોંધાઇ છે.

ટમેટાનાં ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટ-હોટેલ વગેરેમાં પણ દરેક મેનુમાં 20 ટકા સુધીનો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે, તો સલાડમાંથી ટમેટાં ગાયબ થઈ ગયા છે. જો ટમેટાં સાથેનું સલાડ જોઈતું હોય તો વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. મંગળવારે સિંગતેલ લૂઝમાં 1900ના ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા જ્યારે કપાસિયા વોશનો ભાવ 920 રહ્યો હતો. મગફળીના ભાવની સપાટી યથાવત્ રહી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow