યાર્ડમાં લીલા શાકભાજીની આવક વધી, એક સપ્તાહ બાદ ટમેટાંની આવક વધશે

યાર્ડમાં લીલા શાકભાજીની આવક વધી, એક સપ્તાહ બાદ ટમેટાંની આવક વધશે

સોમવારની સરખામણીએ મંગળવારે ટમેટાંના ભાવમાં એક મણે રૂપિયા 600નો ઘટાડો થયો હતો. આમ છતાં છૂટક બજારમાં ટમેટાંનો ભાવ 150થી લઈને 180 સુધી બોલાયો હતો. આવક વધતા ભાવ ઘટ્યા હતા. હાલ બેંગ્લોરથી ટમેટાં આવી રહ્યા છે. એક સપ્તાહ બાદ નાસિકથી આવક શરૂ થશે અને ટમેટાંના ભાવમાં ઘટાડો આવશે એમ વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે સિંગતેલમાં મંગળવારે સતત તેજી રહેતા ડબ્બાનો ભાવ રૂપિયા 3100 થયો હતો. વરસાદે વિરામ લેતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લીલા શાકભાજીની આવક વધી રહી છે ત્યારે શાકભાજીના ભાવમાં મહદંશે ઘટાડો નોંધાયો છે.

જોકે છૂટક બજારમાં હજુ ઉંચા જ ભાવ વસૂલાતા હોવાની ફરિયાદ ગૃહિણી અને લોકોમાં ઊઠી છે. હાલ સૌથી વધુ બટેટાની આવક થઈ રહી છે અને પુરુષોત્તમ માસના ઉપવાસને કારણે સૌથી વધુ ડિમાન્ડ પણ તેની જ રહેતી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અત્યારે યાર્ડમાં ટમેટાંની એક ગાડીની આવક નોંધાઇ છે.

ટમેટાનાં ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટ-હોટેલ વગેરેમાં પણ દરેક મેનુમાં 20 ટકા સુધીનો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે, તો સલાડમાંથી ટમેટાં ગાયબ થઈ ગયા છે. જો ટમેટાં સાથેનું સલાડ જોઈતું હોય તો વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. મંગળવારે સિંગતેલ લૂઝમાં 1900ના ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા જ્યારે કપાસિયા વોશનો ભાવ 920 રહ્યો હતો. મગફળીના ભાવની સપાટી યથાવત્ રહી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow