દેશમાં ખાદ્યતેલોની આયાત 12 ટકા વધી 10.98 લાખ ટન આંબી

દેશમાં ખાદ્યતેલોની આયાત 12 ટકા વધી 10.98 લાખ ટન આંબી

દેશમાં ખાદ્યતેલોની માગ ઝડપભેર વધવા લાગી છે બીજી તરફ સ્થાનિકમાં ઊંચા ભાવના કારણે આયાતી ખાદ્યતેલોમાં વધારો થયો છે. દેશમાં ક્રૂડપામ તેલની વધુ આયાતને કારણે ફેબ્રુઆરીમાં ભારતની ખાદ્યતેલની આયાત વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 10.98 લાખ ટન થઈ છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 9.84 લાખ ટનની રહી હોવાનું ઔદ્યોગિક સંસ્થા SEAએ જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાં અખાદ્ય તેલની આયાત ઘટીને 16,006 ટન થઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 36,389 ટન હતી.

ખાદ્યતેલ (ખાદ્ય તેલ અને બિન-ખાદ્ય તેલ)ની કુલ આયાત ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં 9 ટકા વધીને 11,14,481 ટન થઈ છે જે એક વર્ષ અગાઉ 10,19,997 ટન હતી. નવેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023ના સમયગાળા દરમિયાન, ખાદ્યતેલની આયાત વધીને 58,44,765 ટન થઈ છે જે અગાઉના તેલ માર્કેટિંગ વર્ષના સમાન સમયગાળામાં 45,91,220 ટન હતી. ઓઇલ માર્કેટિંગ વર્ષ નવેમ્બરથી ઓક્ટોબર સુધી ચાલે છે. 2022-23ના પ્રથમ ચાર મહિનામાં અખાદ્ય તેલની આયાત ઘટીને 43,135 ટન થઈ છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 99,938 ટન હતી. નવેમ્બર 2022-ફેબ્રુઆરી 2023 દરમિયાન ખાદ્યતેલની કુલ આયાત 26 ટકા વધીને 5,887,900 ટન થઈ છે જે અગાઉના વર્ષના 46,91,158 ટન હતી. ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી પામ તેલની આયાત કરે છે, જ્યારે સોયાબીન તેલ આર્જેન્ટિના અને બ્રાઝિલમાંથી આવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow