કેટલાક દેશોની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઇ, બ્રિટનમાં એમ્બ્યુલન્સનો વેઇટિંગ ટાઇમ હવે 90 મિનિટ થયો છે

કેટલાક દેશોની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઇ, બ્રિટનમાં એમ્બ્યુલન્સનો વેઇટિંગ ટાઇમ હવે 90 મિનિટ થયો છે

દુનિયાના કેટલાક દેશોની આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ છે. જે દેશોમાં વર્લ્ડ ક્લાસ હેલ્થ આરોગ્યની વ્યવસ્થા છે ત્યાં પણ હોસ્પિટલોમાં લોકોના મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) યોગ્ય રીતે કામ કરી રહી નથી. સ્થિતિ એ છે કે હાર્ટએટેક આવવાની સ્થિતિમાં પણ દર્દીને એમ્બ્યુલન્સ માટે 90 મિનિટ સુધીની રાહ જોવી પડી શકે છે.

કેનેડામાં સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોની હોસ્પિટલમાં ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન રેડક્રોસને બોલાવવાની ફરજ પડી છે. હોસ્પિટલમાં કર્મચારીઓ ઓછા હોવાના કારણે રેડક્રોસ સાથે જોડાયેલા લોકોએ કામ કર્યું છે. સ્વિત્ઝર્લેન્ડ સહિત સમગ્ર યુરોપમાં માત્ર એક વર્ષના ગાળામાં મૃત્યુદર 10 ટકા સુધી વધી ગયો છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં બીમારીઓ વધી જાય છે. આ ગાળા દરમિયાન લોકોને વધારે કાળજીની જરૂર હોય છે.

લોકો હેલ્થ ઇમર્જન્સી નંબર પર ફોન કરે છે પરંતુ કોઇ જવાબ આપતા નથી. આનું મોટું કારણ એ છે કે નર્સિંગ સ્ટાફ અને તબીબોના પગાર ખૂબ ઓછા છે. ઇટાલી અને બ્રિટન જેવા દેશ કોરોનાથી પહેલાં આરોગ્ય પર જીડીપીના મર્યાદિત હિસ્સાને ખર્ચ કરતા હતા. કેટલીક વખત તો તેમાં પણ કાપ મૂકતા હતા. ઇટાલી અને બ્રિટનના આ વલણના કારણે લોકો હવે કિંમત ચૂકવી રહ્યા છે. કોરોના દરમિયાન કેટલીક હોસ્પિટલોમાં તો નોનકોવિડ દર્દીઓને દાખલ કરવા જ બંધ કરી દીધા હતા.

બ્રિટનમાં સ્ટાફમાં વધારો છતાં સ્થિતિ હજુ બેકાબૂ
બ્રિટનમાં 2019ની સરખામણીમાં એનએચએસના સ્ટાફમાં વધારો થયો છે. તબીબોની સંખ્યામાં 13 ટકા અને નર્સની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. આ પ્રકારની સ્થિતિ હોવા છતાં સ્થિતિ બેકાબૂ છે. ઠંડીમાં દર્દીઓ ‌વધ્યા છે, પરંતુ તેની સામે નર્સિંગ સહિત પૂરતા પ્રમાણમાં સ્ટાફમાં વધારો કરાયો નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow