વસ્તી વધારવા માટે સરકારે આશરે 16.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા!

વસ્તી વધારવા માટે સરકારે આશરે 16.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા!

દક્ષિણ કોરિયામાં વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે તેથી ત્યાં દેખભાળ સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લાંં કેટલાંક વર્ષોમાં ચાઇલ્ડ કેર (બાળસંભાળ) સુવિધાઓમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે વૃદ્ધો માટેની સુવિધાઓમાં વધારો થયો છે. સરકારી આંકડા મુજબ 2017માં 40,000થી વધુ બાળસંભાળ કેન્દ્રો હતાં જે ગયા વર્ષના અંત સુધીમાં ઘટીને 30,900 થઈ ગયાં. બીજી તરફ વૃદ્ધોની સુવિધાઓ માટે બનાવવામાં આવેલી વિવિધ સંસ્થાઓની સંખ્યા 2017માં 76,000થી વધીને 2022માં 89,643 થઈ છે.

આ સંસ્થાઓમાં વરિષ્ઠ સંભાળ ગૃહો, વિશિષ્ટ હોસ્પિટલો અને વેલ્ફેર એજન્સીઓ સામેલ છે. તે વૃદ્ધોને સામાજિક સેવાઓ અથવા સુરક્ષાને લગતી બાબતોમાં મદદ કરે છે. તેવી જ રીતે બાળસંભાળ સુવિધાઓમાં જાહેર સેવાઓ તેમજ ખાનગી અને કોર્પોરેટ સેવાઓ સામેલ છે. આ ફેરફાર દક્ષિણ કોરિયામાં વર્ષોથી ચાલી રહેલી સમસ્યાને દર્શાવે છે, જેને હલ કરવામાં અત્યાર સુધી નિષ્ફળ મળી છે.

અહીં વિશ્વમાં સૌથી ઝડપથી વધતી વૃદ્ધ વસ્તી છે. આ સિવાય 65 વર્ષથી વધુ ઉંમરના 40% થી વધુ લોકો ગરીબીનો સામનો કરી રહ્યા છે. તેમની આવક ઘરના સરેરાશ ખર્ચ કરતાં 50% ઓછી છે. વૃદ્ધ ગરીબી દર અને તેમની વધતી જતી સંખ્યાને કારણે આગામી વર્ષોમાં તેમની સંભાળ માટે સંસ્થાઓની માંગ વધવાની તૈયારી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow