સરકારે અનુપાલનમાં નિષ્ફળ 1.28 લાખ કંપનીઓને રેકોર્ડમાંથી હટાવી

સરકારે અનુપાલનમાં નિષ્ફળ 1.28 લાખ કંપનીઓને રેકોર્ડમાંથી હટાવી

સરકારે સતત બે નાણાકીય વર્ષથી નાણાકીય નિવેદનો જમા કરાવવામાં નિષ્ફળ નિવડેલી 1,27,952 કંપનીઓને સરકારી રેકોર્ડમાંથી હટાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીત સિંઘ રાઓએ જણાવ્યું હતું કે કંપનીઝ એક્ટ, 2013 હેઠળ ‘શેલ કંપની’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી નથી. સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષથી વાર્ષિક રિટર્ન અથવા નાણાકીય નિવેદનો જમા કરવામાં નિષ્ફળ નિવડેલી કંપનીઓની ઓળખ કરીને તેને સરકારી રેકોર્ડમાંથી હટાવવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું.

છેલ્લા ત્રણ વર્ષમાં 1,27,952 કંપનીઓને સરકારી રેકોર્ડમાંથી હટાવવામાં આવી છે. લોકસભામાં પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર એવી કોઇ કંપનીઓ જે શેલ કંપનીઓ સાથે ચોરીછૂપીથી બિઝનેસ કરે છે તેને લઇને કોઇ પગલાં લઇ રહી છે કે નહીં તેના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. આવી રજીસ્ટરમાંથી હટાવાયેલી કંપનીઓ સાથે નાણાકીય લેણદેણના સંદર્ભમાં સિંઘે જણાવ્યું હતું કે મંત્રાલયે માર્ચ 2021માં એક્ટના શેડ્યૂલમાં સુધારો કર્યો હતો. આ સુધારા સાથે, રેકોર્ડમાંથી હટાવાયેલી કંપનીઓ સાથે નિસ્બત ધરાવતી કંપનીઓએ કેટલીક જાણકારી જમા કરાવવાની રહેશે.

કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને તેમની સિક્યોરિટીઝ સીધા જ ફોરેન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરવા માટે અનુમતિ આપવા માટે કોઇ નિયમની જાહેરાત કરી છે કે કેમ તે અંગે પૂછાતા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી. વિદેશી સ્ટોક એક્સચેન્જો પર સીધી સૂચિબદ્ધ કરવા માટે અત્યાર સુધી કોઈ નિયમો સૂચિત કરવામાં આવ્યા નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow