કામની સ્વતંત્રતા-સક્રિયતાથી બિઝનેસમેનને હકારાત્મક ઊર્જા મળે છે અને બર્નઆઉટનો શિકાર પણ થતા નથી

કામની સ્વતંત્રતા-સક્રિયતાથી બિઝનેસમેનને હકારાત્મક ઊર્જા મળે છે અને બર્નઆઉટનો શિકાર પણ થતા નથી

પગારદાર કર્મચારીઓ અને ધંધાદારીઓ વારંવાર બર્નઆઉટ (તણાવ અને બીમારી)ની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. બીજી બાજુ યુવા ધંધાદારીઓ કર્મચારીઓ કરતાં વધારે સમય સુધી કામ કરતા નજરે પડે છે, છતાં તેઓ બર્નઆઉટના શિકાર થતા નથી. આ સંબંધમાં નેધરલેન્ડસની એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીમાં હાલમાં રિસર્ચ હાથ ધરાયું હતું.

આ રિસર્ચમાં જાણવા મળ્યું કે ધંધાદારીઓને કામ કરવાની સ્વતંત્રતા અને તેમના સતત કોઇ કાર્યની પાછળ રહેવાના કારણે તેમને પોઝિટિવ એનર્જી પણ મળે છે. તેમની અંદર એક પ્રકારની હકારાત્મક ઊર્જા આવી જાય છે, જે વધારે કામ કરવાની સ્થિતિમાં પણ થાકનો અનુભવ કરાવતા નથી. મુખ્ય રિસર્ચ નિષ્ણાત પ્રો. ઓબ્સચોંકાએ કહ્યું છે કે કામને લઇને તણાવ અને સમયનું દબાણ ધંધાદારીઓને ઉચ્ચ સ્તરની વ્યક્તિગત સ્વાયત્તતા પ્રદાન કરે છે.

આ તમામ તેમને હકારાત્મક મનોવૈજ્ઞાનિક વાપસી તરફ લઇ જાય છે. જે ધંધાદારી કામમાં પોતાની મોટી ભાગીદારીના કારણ બને છે, તેમનામાં એનર્જી વધારે જોવા મળે છે. પરિણામસ્વરૂપે તેમનું કામ પગારદાર કર્મચારીઓની સરખામણીમાં વધારે એનર્જી આપે છે.

સાથેસાથે વધારે હકારાત્મક સ્થિતિ પ્રદાન કરે છે. આવા લોકો પોતાના કામથી ખુશ અને વધારે સંતુષ્ટ રહે છે. ખાસ કરીને કોઇ અન્ય કર્મચારીઓ માટે જવાબદાર ન હોવાના કારણે તેઓ બર્નઆઉટનો શિકાર પણ થતા નથી.

ધંધાકીય દ્રષ્ટિકોણથી કર્મીઓ બર્નઆઉટથી બચશે
ખૂબ વધારે જોખમવાળી નોકરી કરતા કર્મચારીઓએ ધંધાદારી દ્રષ્ટિકોણ રાખવાની જરૂર છે. ઉદ્યોગસાહસિકોનું વલણ રાખવાથી ફાયદો થાય છે. આનાથી બર્નઆઉટના શિકાર થવાથી બચી જાય છે. બીજી બાજુ પોતાના કામને મજબૂત કરીને પૂર્ણ હકારાત્મક ઊર્જા સાથે કામ કરી શકાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow