મુંબઈ જતી ફ્લાઈટ ઊડી જ નહિ, મુસાફરો 6 કલાક થયા પરેશાન કનેક્ટિંગ ફ્લાઈટના પેસેન્જરને દિલ્હીથી લંડન મોકલવા પડ્યા

મુંબઈ જતી ફ્લાઈટ ઊડી જ નહિ, મુસાફરો 6 કલાક થયા પરેશાન કનેક્ટિંગ ફ્લાઈટના પેસેન્જરને દિલ્હીથી લંડન મોકલવા પડ્યા

રાજકોટ એરપોર્ટથી સવારે પોણા નવ વાગ્યે મુંબઈ ફ્લાઈટ જવાની હતી. આ માટે ફ્લાઈટ સમયસર લેન્ડ તો થઈ પણ ફરીથી ઊડી ન શકી. આ કારણે ઘણા મુસાફરો હાંફળાંફાંફળાં થઈ ગયા હતા. કારણ કે તેઓને મુંબઈથી લંડનની ફ્લાઈટ લેવાની હતી. જો મુંબઈ જ પહોંચી ન શકાય તો લંડનની ફ્લાઈટ ચૂકી જવાની ચિંતા હતી.

રાજકોટથી મુંબઈની ફ્લાઈટ મોટા ભાગે મુસાફરોથી ભરચક્ક હોય છે. ખાસ કરીને મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચીને વિદેશ જનારાઓની સંખ્યા પણ હોય છે. રવિવારે ફ્લાઈટ ટેક ઓફ ન થતા આવા જ મુસાફરોને સૌથી મોટી સમસ્યા થઈ હતી. લંડનની ફ્લાઈટ ચૂકાઈ જાય તો ફરી વખત ટિકિટ મેળવવામાં તેમજ ખર્ચ કરવામાં ભારે સમય વીતી જાય અને પહોંચવામાં પણ મોડું થાય. જેને લઈને અમુક યાત્રીઓએ એર ઈન્ડિયામાં ફરિયાદોનો ધોધ ચલાવ્યો હતો. એર ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈ જતી ફ્લાઈટ રાજકોટ પહોંચી હતી. પણ, તેમાં ટેક્નિકલ ક્ષતિ જણાતા તેને ગ્રાઉન્ડ કરી દેવાઈ હતી. મુસાફરોને સાચવવા માટે સાંજે ઈન્ડિગોની ફ્લાઈટ માટે અમુકની ટિકિટ લેવાઈ હતી તો અમુકને અમદાવાદ રવાના કરીને ત્યાંથી મુંબઈની ફ્લાઈટ કરી દેવાઈ હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow