ફુગાવા સામેની લડત વર્ષ 2023માં પણ યથાવત્ રહેશે

ફુગાવા સામેની લડત વર્ષ 2023માં પણ યથાવત્ રહેશે

વર્ષ 2022 દરમિયાન ફુગાવો RBIના નિર્ધારિત 6 ટકાના લક્ષ્યાંક કરતાં વધુ રહ્યો હતો. જો કે હવે રિટેલ ફુગાવો ઘટી રહ્યો છે. આગામી સમયમાં વૈશ્વિક અનિશ્વિતતાઓ વચ્ચે ફુગાવને વધુ અંકુશમાં રાખવા માટેના પ્રયાસો સતત ચાલુ રહેશે. ક્રૂડ અને ખાદ્યપદાર્થો, કઠોળ, શાકભાજીની વધુ કિંમતો આ વર્ષ દરમિયાન ફુગાવા પાછળનું મુખ્ય કારણ હતું. તે ઉપરાંત ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્વને કારણે પણ વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઇ હતી જેને પરિણામે અનેક કોમોડિટીની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો.

ગત મે મહિનાથી RBIએ રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કર્યો હતો, જે સાથે જ રેપો રેટ 6.25% સાથે ત્રણ વર્ષના સર્વાધિક સ્તરે પહોંચ્યો હતો.

CPI આધારિત રિટેલ ફુગાવો જાન્યુઆરીથી જ RBIના 6 ટકાના નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર રહ્યો હતો અને ઓક્ટોબર સુધી તે 6 ટકાની ઉપર રહ્યો હતો. જો કે ઓક્ટોબરમાં તે ઘટીને 5.88 ટકાની સપાટીએ પહોંચતા મોંઘવારીના મામલે કેટલાક અંશે રાહત થઇ હતી. RBIના ‘એનોટોમી ઑફ ઇન્ફ્લેશન એસેન્ટ ઇન ઇન્ડિયા’ રિપોર્ટ અનુસાર વર્ષ દરમિયાન સપ્લાય અડચણોને કારણે ફુગાવાનું દબાણ વધ્યું હતું જો કે ત્યારબાદ તેની અસર ઓછી થવાને કારણે ફરીથી ખર્ચામાં વધારો થયો હતો . તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ફુગાવાને લઇને વધુ અનિશ્વિતતાઓ પ્રવર્તી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow