ફેક્ટરીનો મેનેજર કારખાના માલિકના પરિવારના રૂ.2.65 લાખ હજમ કરી ગયો

ફેક્ટરીનો મેનેજર કારખાના માલિકના પરિવારના રૂ.2.65 લાખ હજમ કરી ગયો

શહેરના ગોંડલ રોડ પર ઉદ્યોગનગર કોલોનીમાં આવેલી ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતા શખ્સે બારોબાર પોતાનું કારખાનું શરૂ કરી ફેક્ટરીના માલિક પરિવારને આપવાના થતા રૂ.2.65 લાખ પણ ન આપી ફેક્ટરીની મશીનરી સગેવગે કરી નાખી હતી.

રામકૃષ્ણનગરમાં રહેતા સ્નેહલબેન ભોગીલાલ શાહે (ઉ.વ.55) એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હસનવાડીમાં રહેતા ગોપાલ ગોરધન સતાપરાનું નામ આપ્યું હતું. સ્નેહલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગનગર કોલોનીમાં તેમના પિતાની માલિકીની સ્નેહલ ઇન્ડસ્ટ્રીઝ, મિલન હેન્ડિક્રાફ્ટ અને મિલન એન્જિનિયર્સ નામની ત્રણ ફેક્ટરી આવેલી છે, આ ફેક્ટરીમાં ગોપાલ સતાપરા મેનેજર તરીકે કામ કરતો હતો.

સ્નેહલબેનના પિતા ભોગીલાલના નિધન બાદ મહિને રૂ.15 હજાર આપવાની શરતે ગોપાલ સતાપરા ફેક્ટરી ચલાવતો હતો, થોડા મહિના હિસાબ આપ્યા બાદ ગોપાલે પૈસા આપવાનું બંધ કર્યું હતું અને સ્નેહલબેન નાણાની ઉઘરાણી કરે ત્યારે અલગ અલગ બહાના ધરી પૈસા આપતો નહોતો, ગોપાલે ફેક્ટરી માલિકના પરિવારજનોની જાણ બહાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે પોતાનું કારખાનું શરૂ કરી દીધુ હતું અને ફેક્ટરીમાં કોઇ બદલાવ કરતો ત્યારે અલગ અલગ બહાના ધરી દેતો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow