ગરીબ બાળકીની કોણીનું ઓપરેશન નિ:શુલ્ક કરી તબીબે માનવતા દર્શાવી

ગરીબ બાળકીની કોણીનું ઓપરેશન નિ:શુલ્ક કરી તબીબે માનવતા દર્શાવી

ગોંડલ શહેરમાં પ્લાસ્ટિકનો કચરો અને ભંગાર વીણી પેટીયું રળતા પરિવારની પાંચ વર્ષની બાળાને કોણીમાં ગંભીર રીતે ફ્રેક્ચર થયું હતું અને જો તાબડતોબ તેણીનું ઓપરેશન ન થાય તો ગેંગરિન થઇ જવાની ભીતિ હતી. એવામાં આ ઘટનાની સેવાભાવી આગેવાનને જાણ થઇ અને તેમણે તરત જ તબીબને વાકેફ કરતાં તબીબે આ બાળકીનું ઓપરેશન કરી બાળાનો જીવ બચાવી માનવતા મહેકાવી હતી. ઝુંપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ સોરાલા પ્લાસ્ટિક અને ભંગાર વીણી ઘર ગુજરાન ચલાવે છે .તેની પાંચ વર્ષની બાળકી બંસી પડી જતા કોણીમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું.

ડાબા હાથની કોણીમાં ગંભીર ફ્રેક્ચર હતું
આ બાબતની જાણ શિવમ ટ્રસ્ટના પ્રમુખને થતા તેઓ તાકીદે ડોક્ટર વાડોદરિયાને સઘળી હકીકતની જાણ કરી હતી અને તેમણે ઇમર્જન્સીમાં બંસીનું ઓપરેશન કરી દીધું હતું. આ તકે તબીબે જણાવ્યું હતું કે બંસીના ડાબા હાથની કોણીમાં ગંભીર ફ્રેક્ચર હતું, જો તેને તાત્કાલિક ઓપરેશન કરવામાં ન આવે તો તેને ગેંગરિન શરૂ થઈ જવાની શક્યતા હતી. પરિણામે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર નિશુલ્ક ઓપરેશન કરી દેવાયું હતું.

વિલંબ કર્યા વગર નિશુલ્ક ઓપરેશન કરી દેવાયું
​​​​​​​શહેરમાં સમયાંતરે તબીબો નિ:શુલ્ક કેમ્પ યોજી લોકોને ઉપયોગી બની જ રહ્યા હોય છે અને આજે જ્યારે મેડિકલ સારવાર જ્યારે અતિશય મોંઘી બની ગઇ છે ત્યારે નાની એવી ઇજા કે ઓપરેશન પણ ભલભલાના ઘરના બજેટ વેર-વિખેર કરી નાખે છે ત્યારે ખાનગી હોસ્પિટલના આ તબીબે પળવારનો પણ વિચાર કર્યા વગર બાળકીને ગંભીર બીમારીમાંથી તો બચાવી જ લીધી, સાથે 40,000 થી વધુ ખર્ચ થઇ શકે તેવું ઓપરેશન નિ:શુલ્ક કરી દાખલો બેસાડ્યો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow