જસદણના આટકોટ રોડ પરનું સર્કલ બન્યું અકસ્માત ઝોન

જસદણના આટકોટ રોડ પરનું સર્કલ બન્યું અકસ્માત ઝોન

જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે સાંજના સુમારે બે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાની થઈ ન હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ બાયપાસ સર્કલ વાહનચાલકોને નડતરરૂપ રીતે બનાવવામાં આવેલું હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે અને સર્કલના લીધે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. છતાં જે તે જવાબદારો દ્વારા આ સર્કલને હટાવવાની અથવા તો તેની ડીઝાઈન બદલવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી અકસ્માતો વધી રહ્યા છે. જેથી આવનારા સમયમાં આ સર્કલ અંગે તંત્ર દ્વારા વિચારણા કરાય તે ઈચ્છનીય છે.

સર્કલના લીધે અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે
જસદણ નગરપાલિકા દ્વારા આટકોટ રોડ પર લાંબા સમય પહેલા જળ સર્કલ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જસદણ-આટકોટ ફોરલેન રોડ બનતા આ રોડ પર દિનપ્રતિદિન વાહનોની અવરજવર વધતા આ સર્કલ અકસ્માત સંભવિત બની જવા પામ્યું છે.

કારણ કે જસદણના આ જળ સર્કલમાં નગરપાલિકાની આળસના લીધે મસમોટું ખડ ઉગી નીકળ્યું છે અને તેને હટાવવામાં પાલિકાના સત્તાધિશોને જબરી આળસ છે. આથી અહીંથી પસાર થતા અને સામેથી આવતા વાહનો ચાલકોને દેખાતા ન હોવાથી અવારનવાર નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow