કેનેડા સરકારે દૂષિત પાણીને કારણે ડૉન નદીને મૃત જાહેર કરી હતી

કેનેડા સરકારે દૂષિત પાણીને કારણે ડૉન નદીને મૃત જાહેર કરી હતી

કેનેડાના ટોરન્ટો શહેરના ઉદ્યોગોનું દૂષિત પાણી સીધું જ ડૉન નદીમાં છોડવામાં આવતા તે પ્રદૂષિત થઇ હતી. દૂષિત પાણીને કારણે બીમારી ફેલાઇ જેને કારણે કેનેડા સરકારે 1969માં ડૉન નદીને મૃત જાહેર કરી હતી. પરંતુ શહેરીજનોએ હાર ન માની અને 54 વર્ષના સંઘર્ષ બાદ ડૉન નદીને પુનર્જીવિત કરી છે. તેઓએ 18,400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

તેનો હેતુ 15 વર્ષમાં નદીને સ્નાનલાયક બનાવવાનો છે. લોકોએ ટાસ્કફોર્સ બનાવીને ‘ડોન નદીને પરત લાવો’ નામનું અભિયાન શરૂ કર્યું. ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા લોકોએ નદીના કિનારાની સફાઇ કરી. 6133 કરોડ રૂપિયાના ખર્ચે નદીકિનારે નવી સડકોનું નિર્માણ કર્યું. તદુપરાંત શિયાળા દરમિયાન સડક પર જામેલા બરફને હટાવવા માટે વપરાતા મીઠાનો ઉપયોગ ઓછો કર્યો જેથી કરીને ચોમાસામાં તે મીઠું વહીને નદીમાં ન જાય.

જોકે નદીમાં આવતું પાણી હજુ સ્વચ્છ નથી. તેને સાફ કરવાના પ્રયાસો સતત થઇ રહ્યા છે. ટોરન્ટો રિજનલ કન્ઝર્વેશન ઓથોરિટી વોટરે પાણીની ગુણવત્તાનું રિપોર્ટકાર્ડ જારી કર્યું છે. જેમાં ફોસ્ફરસ, ન્યૂટ્રીએન્ટ્સ, ક્લોરાઇડ અને મીઠાનું સ્તર ખૂબ વધુ છે.

આગામી 15 વર્ષમાં નદીનું પાણી સ્નાનલાયક બની જશે તેવી આશા છે. ટોરન્ટોની યોર્ક યુનિવર્સિટીના ઇતિહાસના એસોસિએટ પ્રોફેસર જેનિફિર બોનેલ અનુસાર પહેલાં ટેનરી અને કતલખાનાનું દૂષિત પાણી આ નદીમાં છોડાતું હતું. 1969માં ડૉન નદીને મૃત જાહેર કરવા પર પર્યાવરણવિદોએ રેલી કાઢી હતી. 1972માં આ નદી સંરક્ષણ આંદોલનનો હિસ્સો બની હતી. ટોરન્ટોના મેયર રૉબ ફોર્ડે 2010માં સ્વયંસેવકોના જૂથને ભંગ કર્યું હતું તેમ છતાં ટાસ્ક ફોર્સના દરેક સભ્યએ કામ ઝડપી કર્યું હતું.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow