નાની લોન દ્વારા ખરીદીનું આકર્ષણ વધ્યું, 25% લોકોએ ક્રેડિટકાર્ડના ઉપયોગ દ્વારા ખરીદી કરી

નાની લોન દ્વારા ખરીદીનું આકર્ષણ વધ્યું, 25% લોકોએ ક્રેડિટકાર્ડના ઉપયોગ દ્વારા ખરીદી કરી

ડિજિટલ યુગમાં પ્લાસ્ટિક મનીનો ક્રેઝ ઝડપી વધી રહ્યો છે. દેશમાં શોર્ટ ટર્મ લોન દ્વારા ખરીદી કરવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. સર્વેક્ષણમાં સામેલ 50% થી વધુ લોકો ખરીદી માટે EMI કાર્ડ પસંદ કરે છે. ક્રેડિટ કાર્ડને 25% અને બાય નાઉ પે લેટર (BNPL) 10% દ્વારા પસંદ કરવામાં આવે છે.

હોમ ક્રેડિટ ઇન્ડિયાના વાર્ષિક કન્ઝ્યુમર સ્ટડી ‘કેવી રીતે ભારતીય લોન લે છે તે સર્વેના આધારે ટીયર 1 અને 2 શહેરોમાં કુલ ત્રણ ચતુર્થાંશથી વધુ લોન લેનારા 12થી 32 વર્ષ અને મિલેનિયલ્સ 32 થી 42 વર્ષની વચ્ચે ડિજિટલ લેન્ડિંગ વધી રહ્યું છે. હોમ ક્રેડિટ ઇન્ટરનેશનલએ એક નોન બેંક ફાઇનાન્સ સંસ્થા છે.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બિઝનેસ, રિનોવેશન માટે લોનનું ચલણ વધ્યું છે. સર્વેમાં સામેલ 75% થી વધુ લોકો લોન લેવા માટે ખૂબ જ સહજ છે. તેઓએ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, શોપિંગ તેમજ બિઝનેસ જરૂરિયાતો અથવા ઘરના રિનોવેશન માટે લોન લીધી છે., 60% થી વધુ લોકો ઈન્ટરનેટ બેન્કિંગ કરતાં મોબાઈલ બેન્કિંગ દ્વારા લોન મેળવવામાં વધુ સરળતા અનુભવે છે. જેમાં ઈન્દોર, જયપુર, સુરત જેવા ટિયર 2 શહેરોના યુવાનો મોટી સંખ્યામાં છે.,

સર્વેક્ષણ કરાયેલા 60% ક્રેડિટ ગ્રાહકોએ એમ્બેડેડ ફાઇનાન્સમાં રસ દર્શાવ્યો હતો. તેમનું કહેવું છે કે આની મદદથી ઈ-કોમર્સ શોપિંગને સરળ EMIમાં કન્વર્ટ કરી શકાય છે. તે ચૂકવવા માટે અનુકૂળ છે.

આ 16 શહેરોમાં સરવે કરવામાં આવ્યો
દિલ્હી-NCR, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, ભોપાલ, પટના, રાંચી, અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, જયપુર, લખનૌ, લુધિયાણા અને પુણે.

સેમ્પલ સાઇઝ: રૂ.30000ની સરેરાશ માસિક આવક ધરાવતા 18-55 વર્ષની વયના 1500 હોમ ક્રેડિટ ગ્રાહકો

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow