ઘરકામ મુદ્દે દંપતી વચ્ચેના ઝઘડા કોર્ટ સુધી પહોંચવાના કિસ્સા વધતાં પતિના કામની નોંધ લેવા એપ લોન્ચ થશે

ઘરકામ મુદ્દે દંપતી વચ્ચેના ઝઘડા કોર્ટ સુધી પહોંચવાના કિસ્સા વધતાં પતિના કામની નોંધ લેવા એપ લોન્ચ થશે

પતિ ઘરે કામ કરે છે કે નહીં તે જાણવા માટે સ્પેનની સરકાર એક એપ લોન્ચ કરવા જઈ રહી છે. આ એપ પત્નીઓને જણાવશે કે તેમના પતિ ઘરના કામકાજમાં કેટલો સમય વિતાવે છે. તેનો ઉદ્દેશ્ય પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેના ઘરકામના અસંતુલન તેમજ ઘરના સભ્ય ઘરકામમાં કેટલો કલાક વિતાવે છે તે ટ્રેસ કરવાનો છે. આ એપને સરકાર લગભગ બે કરોડ રૂપિયામાં વિકસાવી રહી છે. જો કે, આ એપ કેવી રીતે મોનિટર કરશે તે અંગે કોઈ માહિતી અપાઈ નથી. એપ દ્વારા પુરુષો અને મહિલાઓના ઘરેલું કામ પર નજર રાખનાર સ્પેન પહેલો દેશ હશે.

સ્પેનને આશા છે કે, એપ પુરુષોને વજન ઘટાડવામાં મદદ કરશે. સ્પેનના જેન્ડર ઇક્વાલિટી મિનિસ્ટર એન્જેલા રોડ્રિગ્ઝે જણાવ્યું કે, ઉનાળામાં એપ લોન્ચ કરવાની યોજના છે. અને આને ‘સહ-જવાબદારી યોજના’ના રૂપમાં લાવવામાં આવી રહી છે. આ એપ ઘરને સરળ રીતે ચલાવવા માટે જરૂરી તમામ અવગણના કરેલા કાર્યોને ઉજાગર કરશે. ઉદાહરણ તરીકે, રસોડાને સાફ કરતા 20 મિનિટ લાગી શકે છે. તે તેના પર નિર્ભર કરે છે કે, કોઈને વૉશ અપ લિક્વિડ ખરીદવાનું યાદ છે, તેમજ શૉપિંગ લિસ્ટ બનાવી છે કે નહીં. આ અભ્યાસનો ઉપયોગ ઘરમાં પુત્ર-પુત્રી, માતા-પિતાની વચ્ચે કામ વહેંચવા માટે થઈ શકે છે. કારણ કે, ઘરના કાર્યોનું વિભાજન અસમાન હોય છે. તેમણે કહ્યું કે, મહિલા ઘરના કામમાં પુરુષો કરતા વધુ સમય વિતાવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow