બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

નિઝર તાલુકાના લક્ષ્મીખેડા અને બોરદા ગામના સીમા વિસ્તારમાંથી પસાર થતી લાંકા અને માંગલા બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર સતત આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં જળ મગ્ન રહે છે. મોટા ભાગે મહા શિવરાત્રીના તહેવાર સમયે પણ શિવાલય પાણીથી ઘેરાયેલું રહે છે. ભાગ્યે જ મહા શિવરાત્રીમાં જળાશયના પાણીમાંથી શિવલિંગ બહાર આવે છે.

આ વર્ષે પણ શિવલિંગ ઉકાઇ જળાશયના પાણીમાં જળમગ્ન છે. લગભગ આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં ડૂબી રહેતું મહાદેવના મંદિરમાં મહા શિવરાત્રી દિવસે શિવલિંગનું દર્શન કરવા માટે આ વિસ્તારના ભાવિક ભક્તો હોડીના સહારે પણ મંદિરે જતા હોય છે. અને હોડીમાં બેસીને જ પાણીમાં જ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવવા હોય છે. આ વર્ષે પણ મહા શિવરાત્રીના દિવસે જળાશયના પાણીમાં ડૂબેલું મહાદેવના મંદિરે શિવલિંગના દર્શન કરવા ભક્તોની તૈયારી હોવાનું સ્થાનિક જગનસિંગભાઈએ જણાવ્યું હતું.

બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર
બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર‌

મંદિરનો આ પરચો પણ ગ્રામજનોમાં ઘણો પ્રચલિત
વર્ષો પહેલા આજુ બાજુના 7 ગામોના વડીલો અહી પૂજા અર્ચના કરતા હતા. પરંતુ શિવલિંગ ઉકાઈ જળાશયના પાણીમાં રેહેતું હોવાથી પૂજા દર વર્ષે થઈ શકતી ન હતી. જેથી ભક્તોઓએ શિવલિંગને બીજા સ્થળે સ્થાપિત કરવા અંગે ખોદકામ પણ કર્યુ હતું, પરંતુ મંદિરમાં રહેલ શિવલિંગ બહાર નહી આવતા આજથી દશેક વર્ષે પહેલા એજ સ્થળે નવા મંદિરનું નિર્માણ કરાયું હતું. અને ત્યારથી ભક્તો હોડીમાં બેસીને મહાદેવની પૂજા કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow