દેશમાં ઓટીટી પ્લેટફોર્મ્સ માટે પણ એક સમાન કાયદા લાગુ કરવાનો ટેલિકોમ કંપનીઓનો અનુરોધ

દેશમાં ઓટીટી પ્લેટફોર્મ્સ માટે પણ એક સમાન કાયદા લાગુ કરવાનો ટેલિકોમ કંપનીઓનો અનુરોધ

દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીયો અને ભારતી એરટેલે સરકાર સમક્ષ દરેક પ્રકારની સેવા માટે એક જેવા નિયમો-કાયદા લાગૂ કરવાનો અનુરોધ કર્યો છે. તેમાં OTT પ્લેટફોર્મ્સ પણ સામેલ છે. પરંતુ ટેલિકોમ નિષ્ણાંતો આ માંગ વ્યવહારિક ન હોવાનો સુર વ્યક્ત કરી રહ્યા છે. જો આ નવા કાયદાનું અમલીકરણ થશે તો તમારા માટે વોટ્સએપ, ટેલિગ્રામ સહિતની એપના ઉપયોગ માટે ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

ટેલિકોમ કંપનીઓ અનુસાર વોટ્સએપ, સિગ્નલ, ટેલિગ્રામ, સ્કાઇપ જેવા ઑવર ધ ટૉપ પ્લેટફોર્મ અને સ્માર્ટફોન વચ્ચે વધુ અંતર રહ્યું નથી, પરિણામે તેઓ પર પણ સમાન નિયમન લાગૂ થવું જોઇએ. અત્યારે સૌથી મોટું અંતર એ છે કે દેશમાં ટેલિફોન સર્વિસ માટે કંપનીઓએ લાઇસન્સ લેવું જરૂરી છે. બીજી તરફ ઇન્ટરનેટથી સંચાલિત ઓટીટી પ્લેટફોર્મ્સને સરકાર પાસેથી કોઇ લાઇસન્સ લેવાની અનિવાર્યતા નથી.

વાસ્તવમાં, દૂરસંચાર વિભાગે તાજેતરમાં જ ‘ઇન્ડિયન ટેલિકોમ બિલ 2022’નો ડ્રાફ્ટ જારી કર્યો છે. વિભાગે તેના પર દૂરસંચાર નિયામક ટ્રાઇ પાસેથી 20 ઑક્ટોબર સુધી સૂચનો મંગાવ્યા છે. તેમાં ઓટીટીની વ્યાખ્યા બદલવા અને તેને ટેલિકોમ લાઇસન્સ હેઠળ લાવવાનો પ્રસ્તાવ સામેલ છે. અર્થાત્ જો ડ્રાફ્ટ બિલ તરીકે સંસદમાં પસાર થઇ જશે તો દરેક ઇન્ટરનેટ આધારિત કોલિંગ એપ લાઇસન્સ ફીના દાયરા હેઠળ આવી જશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow