તેજસ એક્સપ્રેસ સહિત 20થી વધુ ટ્રેનોની અવરજવર અટકી

તેજસ એક્સપ્રેસ સહિત 20થી વધુ ટ્રેનોની અવરજવર અટકી

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સોમવારે રાત્રિના સમયે ઓવરહેડ કેબલ તુટી જતાં રેલ્વે વ્યવહાર પ્રભાવિત થયો હતો. મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એકસપ્રેસને ભરૂચ સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી છે. આ કામગીરી માટે એક કલાકથી વધુનો સમય લાગે તેમ હોવાથી 20થી વધુ ટ્રેનોની અવરજવર અટકી પડી છે.ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન વચ્ચે ઓવરહેડ કેબલ તુટવાની વધુ એક ઘટના સામે આવી છે. દાદરથી અજમેર જતી એકસપ્રેસના ગાર્ડે અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે કીમી 320- 19 ઓવરહેડ કેબલ તુટયો હોવાની જાણ કરી હતી.

બનાવની જાણ થતાં ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. મુંબઇ – અમદાવાદ તેજસ એકસપ્રેસને ભરૂચ ખાતે થોભાવી દેવાની ફરજ પડી હતી. રેલવેની ટીમો સ્થળ ઉપર પહોંચી છે અને વાયરના રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. ઓવરહેડ વાયરના રીપેરીંગ માટે વડોદરાથી ખાસ મશીન મંગાવવામાં આવ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow