ટીમ ઈન્ડિયા 200મી મેચ 4 રનથી હારી

ટીમ ઈન્ડિયા 200મી મેચ 4 રનથી હારી

ટીમ ઈન્ડિયાને T20 સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે 4 રને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ તેની 200મી T20 મેચ રમી રહી હતી.

આ જીત સાથે જ યજમાન ટીમે 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની આગામી મેચ 6 ઑગસ્ટે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

પોર્ટ ઓફ સ્પેનમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. 150 રનના ટાર્ગેટને ચેઝ કરતા તે 20 ઓવરમાં 8 વિકેટે 145 રન બનાવી શકી હતી.

ટીમ ઈન્ડિયાની ધીમી શરૂઆત, બે વિકેટ પણ ગુમાવી
150 રનના સ્કોરને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ધીમી રહી હતી. ટીમે 28 રનમાં પોતાના ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેમાં ભારતે બે વિકેટે 45 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 3 અને ઈશાન કિશન 6 રન બનાવીને આઉટ થયા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા જ્યારે નિકોલસ પૂરને 41 રન બનાવ્યા હતા. લેફ્ટ આર્મ પેસર અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow